________________
મંગલાચરણ
તો તેને દુખી થવું પડે છે. તેવી રીતે ધર્મ બધા સુખોનું મૂળ છે. હવે ધર્મને જ ભૂલી જાય તો ભાવિમાં ઉત્તરોત્તર કલ્યાણની સંપદા ન પામી શકે. આ લોકના સુખોમાં માનવી એટલો બધો આસક્ત ન બની જાય કે તેનો પરલોક બગડે. આ લોકનાં સુખ અનાસક્ત ભાવે ભોગવે તો તેના પરલોકને બાધા ન પહોંચે. ધર્મ અને અર્થ પુરુષાર્થ સાધવામાં કામ પુરુષાર્થની ગૃહસ્થ તદ્દન ઉપેક્ષા કરે તો તેનું ગૃહસ્થપણું ટકી શકે નહીં માટે કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે ત્રણે પુરુષાર્થ સાથે. - - દ્રવ્યનો દુરુપયોગ કરવો તે દુર્ગતિના દ્વાર
ખુલ્લા મૂકવા જેવું - ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. ઉપાર્જન કરેલા દ્રવ્યને વિચાર કર્યા વગર અઘટિત રીતે જેમ ફાવે તેમ ખચી નાખે તેવા મનુષ્યો પહેલા પ્રકારમાં આવે. વડીલોપાર્જિત જે દ્રવ્ય હોય તેનું અન્યાયથી દુય કરી નાખે અને મૂળ મૂડીનો પણ નાશ કરી નાખે. તેવાને મૂળહર કહ્યા છે. અનેક સેવકોને નોકર ચાકરોને અને પોતાની જાતને પણ કષ્ટ આપીને દ્રવ્યનો સંચય કર્યો હોય પણ સદ્વ્યય ન કરી જાણે, તે કંદર્પ (કૃપણ) કહેવાય. આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના મનુષ્યો દ્રવ્યનો સદુપયોગ કરીને પુણ્ય ઉપાર્જન કરી શક્તા નથી, અને તેઓ નથી તો આ લોકને સુધારી શક્તા કે નથી તો પરલોકને સુધારી શકતા. હારેલા જુગારીની જેમ તેઓ પોતાનું સર્વસ્વ ગુમાવીને ભવોભવમાં ભટકતા ફરે છે અને