________________
મંગલાચરણ
कइणंभंते, माइ अंगा पन्नता गोयमा तओ माइ अंगा पन्नता
तंजहा मंस सोणिय मत्थुलुंगे ગૌતમ સ્વામી ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે, શરીરમાં કેટલા અંગો માતાના હોય છે ? પ્રત્યુત્તરમાં ભગવાન ફરમાવે છે કે, માંસ, રક્ત મસ્તકનું ભેજુ એ ત્રણ અંગો આપણા શરીરમાં માતાના હોય છે અને ત્રણ અંગો પિતાના હોય છે.
कइणं भंते पिइ अंगा पन्नता गोयमा तओ पिइ अंगा पन्नता तंजहा अट्ठि अट्ठिमिज्जा केस मंस रोम न हे પિતાના પણ આપણું શરીરમાં ત્રણ અંગો હોય છે.
હાડકાં મજ્જા કેશ દાઢી રોમ નખ, આ સિવાયના આપણું શરીરમાં બાકીના બધા અંગઉપાંગો માતાપિતા બન્નેના શરીરના પુદ્ગલોથી બનેલાં છે. હવે વિચારો માતા પિતાના આપણીપર કેટલા ઉપકારો છે ? માટે માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ ત્રણેને શાસ્ત્રકાર મહાપુરૂષોએ દુપ્રતિકાર કહ્યા છે. તેમને આપણે ચામડાના જેડા કરીને પહેરાવી દઈએ તો પણ તેમના ઉપકારનો બદલો વાળી ન શકાય. તેમાં પણ માતાપિતા આ ભવના ઉપકારી છે. જ્યારે પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતો તો ભવોભવના ઉપકારી છે. કારણ કે માતાપિતા જન્મદાતા છે. જ્યારે ગુરૂ ભગવંતો ધર્મ દાતા છે. તેવા