________________
મંગલાચરણ
૧૯૩
ખર્ચ રાખતા જ્યારે આ કાળમાં જેટલો પોતાને પ્રતિમાસ ખર્ચ લાગતો હોય તે મુજબ આવક ઊભી કરવા જાય છે. આ કાળમાં મનુષ્યોએ ખોટા ખર્ચા અને જરૂરિયાતો એટલી બધી વધારી મૂકી છે કે ગમે તેટલી આવક ઊભી કરવા જાય તોએ પુરું થાય નહીં. એટલે પછી બે નંબરના ભેગા કરવા પડે છે, અને તે માટે કાળા કારનામા પણ કરવા પડે છે. તેના કરતાં મહીને ત્રણસો રૂપિયાની આમદાની હોય તો તે મુજબ જ ખર્ચ રાખવામાં આવે અને જરૂરિયાતો ઉપર કાપ મૂકી દેવામાં આવે તો કાળા કારનામા કરવા જ ન પડે. આજે ઘરમાં જાર બાજરો ન હોય તો ઘડીભર ચાલ્યું જશે પણ પફ ને પાવડર વગેરે ફેશનેબલ ચીજે ઘરમાં પહેલી જોઈશે. ચા, ધૂમ્રપાન, સિનેમા, વેશભૂષા વગેરેના ખર્ચા કેટલા વધી પડ્યા છે ? એ બધા ખર્ચાઓને પહોંચી વળવા માનવીને ન કરવાનાં કૃત્યો કરવા પડે છે. આજે હરવાફરવાનું ને ટૂરમાં જવાનું એટલું બધું વધી પડયું છે કે તેમાં ઘણો દુર્વ્યય થતો હોય છે. સાદાઈ અને સવિચાર યુક્ત જીવન હોય તો આ બધા ખર્ચાઓ પર ઘણો મોટો કાપ મૂકાઈ જાય. અને પૈસાનો બચાવ પણ ઘણો થાય.
ગરીબાઈ હઠાવવી હોય તો દુર્વ્યય બંદ કરો તે જીવનમાં સાદાઈ આવે અને વ્યસનાદિનો ત્યાગ કરી દેવામાં આવે તો સામાન્ય સ્થિતિના મનુષ્યો પણ ગરીબોના ઉદ્ધારમાં અને જનકલ્યાણદિના કાર્યોમાં શક્તિ અનુસાર જરૂર વ્યય કરી શકે, અને પછી તો દેશમાં