________________
૧૮૯
લોચાનો તે ઉપયોગ કરવાની હતી.
1
એટલામાં ભાનુદત્ત નામે નગરના માનીતા મહાન પંડિત નગરની બહાર નદ્રી કિનારે આવેલા મંદિરમાં શંકર ભગવાનની પૂજા કરવા નિમિત્તે તે જ રસ્તેથી જઈ રહ્યા હતા. પડિતજીના એક હાથમાં નિમળ જળથી ભરેલો કળશ અને બીજા હાથમાં પૂજાની સામગ્રી હતી. પેલી માતંગીને રસ્તાપર જળ છંટકાવ કરતી જોઈને પડિતજી વિચારમાં પડી ગયા અને તેને પ્રશ્ન કર્યો કે તારે આ રસ્તાપર બેસીને કર્યુ. એવું પવિત્ર કા કરવું છે કે તું જળ છંટકાવ કરીને ભૂમિનું શોધન કરી રહી છે ! તારે તો આ જગ્યાએ બેસીને માંસાહાર જેવો અપવિત્ર આહાર કરવો છે, કોઈ પવિત્ર કાર્ય કરવું હોય ને ભૂમિ શોધન કર્યુ હોત તો તે સમજી શકાય તેવું હતું, પણ તારે તેવુ કોઈ પવિત્ર કાર્ય કરવાનું છે નહીં. તો પછી શા માટે જળ છટકાવ કર્યાં છે. ? પ્રત્યુત્તરમાં માતંગીએ જે કાંઈ જણાવ્યુ છે તે ખૂબ વિચારવા યોગ્ય છે. આ ઘટનાનો મહાન પ`ડિત શ્રી વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કાવ્યમય ગુર ગિરામાં આબેહૂબ ઉલ્લેખ કર્યાં છે કે :
માંસાહારી માતંગી ખોલે
મંગલાચરણ
ભાનુપ્રશ્ન ધર્યાં,
જૂઠા નર પગ ભૂમિ શોધન
જળ છંટકાવ કર્યાં રે
મોહન મેરો મુગતીસે જાઈ મલ્યો