________________
મંગલાચરણ
૧લપ
પોતાની જાત ઉપરનું કલંક ભૂંસી નાખવા હંસ રાજાને કહે છે કે :
नाऽहं काको महाराज, हंसोऽहं विमले जले। नीचसंगप्रसङ्गन, मृत्युरेव न संशयः ॥
હે રાજન ! હું કાગડો નથી, હું તો માન સરોવરને કાંઠે વિચરનારો રાજહંસ છું, પણ નીચની સોબત કરવાથી હું મૃત્યુને પામી રહ્યો છું. અંતે હંસના આ ઉદ્દગાર સાંભળતાં રાજાનો સંશય ભાંગી જાય છે.
આ દૃષ્ટાંત તો આટલાથી પૂર્ણ થાય છે અને તેનો ઉપનય તો દૃષ્ટાંત આપવા પૂર્વે જ કહી દીધેલ છે. માટે સારા બનવું હોય તો સારાનો સંગ રાખજે. કાગડાની સોબતથી હંસ બિચારો મૃત્યુ પામ્યો, તેમ કુસંગથી ભલભલાનો વિનાશ થાય છે. માનવ જીવનની સાર્થકતા માટે સૌ સત્સંગના -ઉપાસક બનો એ જ એક અંતરની અભિલાષા ! ૦ ૦ ૦ ૦