SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧લપ પોતાની જાત ઉપરનું કલંક ભૂંસી નાખવા હંસ રાજાને કહે છે કે : नाऽहं काको महाराज, हंसोऽहं विमले जले। नीचसंगप्रसङ्गन, मृत्युरेव न संशयः ॥ હે રાજન ! હું કાગડો નથી, હું તો માન સરોવરને કાંઠે વિચરનારો રાજહંસ છું, પણ નીચની સોબત કરવાથી હું મૃત્યુને પામી રહ્યો છું. અંતે હંસના આ ઉદ્દગાર સાંભળતાં રાજાનો સંશય ભાંગી જાય છે. આ દૃષ્ટાંત તો આટલાથી પૂર્ણ થાય છે અને તેનો ઉપનય તો દૃષ્ટાંત આપવા પૂર્વે જ કહી દીધેલ છે. માટે સારા બનવું હોય તો સારાનો સંગ રાખજે. કાગડાની સોબતથી હંસ બિચારો મૃત્યુ પામ્યો, તેમ કુસંગથી ભલભલાનો વિનાશ થાય છે. માનવ જીવનની સાર્થકતા માટે સૌ સત્સંગના -ઉપાસક બનો એ જ એક અંતરની અભિલાષા ! ૦ ૦ ૦ ૦
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy