________________
મંગલાચરણ
માતાપિત્રોડ્યપૂજક
સંગ સદાચારીનો કરવો એ માગનુસારીતાનો આઠમો ગુણ છે. તેમ માતપિતાના પૂજક બનવું એ નવમો ગુણ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
मातापित्रोश्चपूजकः
માતાપિતાના પૂજક બનવું એટલે “પૂનરંજાવિક સિંખ્યામા કિયા” ત્રણે કાળ માતાપિતાને પ્રણામ કરવા એ જ એમનું પૂજન કહેવાય. તેઓ ગેરહાજર હોય, ક્યાંય બહારગામ ગયેલા હોય તો હૃદયમાં તેમને આરોપિત કરીને પ્રણામ કરી લેવા, અથવા ઘરમાં તેમનો ફોટો હોય તો ફોટાને પ્રણામ કરી લેવું. માતાપિતાને ત્રિકાળ નમન કરવાથી માનવી નમ્રશીલ બને છે, અને ઉપકારી માતાપિતા પ્રતિ હદયમાં બહુમાન જળવાઈ રહે છે. માતાપિતાને નમતો હશે તો દેવગુરૂને પણ નમશે. વિનમ્રભાવને લીધે તેનામાં બીજા અનેક સદ્ગુણોનો વિકાસ થશે. સવારે ઉઠતાંવેંત માતાપિતાને પ્રણામ કરવા જોઈએ અને તેમના ઉપકારો હદયમાં અહર્નિશ સંભારવા જોઈએ.
વિનય પ્રશમથી વિહીન મનુષ્યો નિર્જળ
નદીની જેમ શોભાને પામતા નથી તેઓ કામ પ્રસંગે બહાર ગયા હોય ને જેવા ઘરમાં