________________
ઉપર
મંગલાચરણ
પછી તે જ ગામમાં કેવળી ભગવાન પધાર્યા. આ ઘણું લાંબા સમયની વાત છે. કેવળી ભગવાને દેશના સંભળાવી. દેશનાવિધિ સમાપ્ત થયા બાદ શેઠે કેવળી ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કયો કે, પ્રભો ! થોડા સમય પહેલાં બે મહાત્મા મારે ઘેર બિરાજમાન થયેલા. મેં તેમને વસતીસ્થાન આપેલું. બનેને ઉપર નીચે રાખેલા. તેમાં નીચે ઉતરેલા તેઓ ચારિત્ર પાલનમાં બહુ કડક હતા અને ઉપર જે ઉતરેલા તે જરા શિથિલ જણાતા હતા. પ્રભુ ! તે બન્નેમાં પરિત સંસારી કોણ ? એટલે કે અલ્પ સંસારી કોણ ? કેવળી ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે ઉપર ઉતરેલા અલ્પ સંસારી હતા અને નીચે ઉતરેલા બહુલ સંસારી હતા. શેઠ અને શ્રોતાજનો આ પ્રત્યુત્તર સાંભળીને વિચારમાં પડી ગયા. તેનું કારણ દર્શાવતાં કેવળી ભગવાને કહ્યું કે :
દંભી એક નિન્દા કરે સુણે સંતાજી,
– બીજો ધરે ગુણ રાગ | પહેલાને ભવ દુસ્તર કહ્યો સુણો સંતાજી,
બીજાને વળી તાગ ગુણવંતાજી |
- નીચે ઉતરેલા ક્રિયામાં બહુ ચુસ્ત હતા પણ દંભ સેવનારા અને નિંદક વૃત્તિના હતા. ઉપર જે ઉતરેલા તે કિયામાં થોડા હીન છતાં ગુણાનુરાગી હતા. માટે તે અલ્પ સંસારી વહેલા મોક્ષે પહોંચી જવાના, અને નીચે ઉતરેલા ક્રિયામાં ચુસ્ત હોવા છતાં દંભી અને નિંદક હોવાથી તેમના માટે સંસાર સાગર અતિ દુસ્તર કહ્યો. તેમને ઘણા લાંબા