________________
૧૬૨
મંગલાચરણ
ગૃહસ્થ પોતાને રહેવા માટે જે મકાન ઊભું કરે તે બહુ જાહેરમાં પણ ન હોવું જોઈએ અને બહુ ચુસ વિભાગમાં પણ ન હોવુ જોઈએ. જો મકાન એકદમ ખુલ્લું હોય એટલે કે જાહેરમાં હોય તો આજુબાજુમાં બીજા મકાનો ન હોવાથી કયારેક ચોર વગેરે ઉપદ્રવ કરે. અસામાજીક તત્ત્વોથી કયારેક પરેશાન થવું પડે. ચારે બાજુથી મકાન ખુલ્લું હોય એટલે ઘરમાં સ્ત્રી બાળકો વગેરેને ભય રહ્યા જ કરે. તેઓ નિઃશંકપણે ઘરકામમાં ધ્યાન આપી શકે નહીં ? મનમાં લય સત્તા રહે એટલે મન અંદરથી અસ્વસ્થ રહ્યા કરે. મનમાં અસ્વસ્થતા રહે એટલે કામકાજમાં પણ મન લાગે નહીં. સુખના જેટલા પ્રકાર છે તેમાં મનની સ્વસ્થતા જેવું એકે સુખ નથી, અને માનસિક અસ્વસ્થતા જેવુ' એકે દુઃખ નથી. મન સ્વસ્થ ન હોય એટલે અંતે શરીર પણ અસ્વસ્થ થાય. મનની અસર તન પર પડે જ. વ્યાધિના ઉદયકાળમાં પણુ મન જો સમાધિભાવમાં રહે તો અનુપમ સુખ અનુભવી શકાય. શરીરમાં વ્યાધિ અને મનમાં સમાધિ એ તો કોઈ મહાન જ્ઞાની માટે જ બની શકે ! શરીરથી ભિન્ન આત્માનું જેમને ભેદજ્ઞાન થયેલું હોય તેવા પુરૂષો જ અશાતાના કાળમાં પણુ અનુપમ સમતા ભાવમાં પોતાના આત્માને રાખી શકે. અશાતાના કાળમાં આત્મા સમતારસમાં જીલે એટલે થોકબ'ધ નિરા સાધી શકે, અને તેના પ્રમાણમાં કર્મોનુ અધ તેને અતિ અલ્પ પડે, અને તે જીવ અલ્પ કાળમાં અધા કર્મોને ખપાવીને નિઃકર્મો અને એટલે કે ક્ષીણુકી અને છે.