________________
મંગલાચરણ,
જગ્યાઓ હોય છે જ્યાં રહેવાથી ગૃહસ્થોને ઉત્તરોત્તર વૃદ્ધિને બદલે હાની જ થયા કરે અને ઘણું કષ્ટો પણ વેઠવાં પડે. ઉત્તરોત્તર હાની થાય અને કષ્ટો વેઠવાં પડે તે તો કમદયને કારણે છે, છતાં કર્મોદય થવામાં દ્રવ્ય ક્ષેત્રાદિ બાહ્ય સામગ્રી પણ નિમિત્ત બને છે, માટે ગૃહસ્થ યોગ્ય આગારમાં રહે તો તેનું ચિત ધર્મધ્યાનમાં પણ બરાબર લાગે. તેના પરિવારમાં ઉત્તરોત્તર ધર્મના સંસ્કારો પડતા રહે અને પરિવારમાંથી કયારેક કોઈક અણગાર બનીને પોતાના આત્માનું કલ્યાણ કરવાની સાથે આખા કુટુમ્બનો પણ ઉદ્ધાર કરે. -