________________
મંગલાચરણ
૧૬૫
તેના ઘરની સજાવટ પણ અનોખી હોય. ઘરમાં સ્ત્રી અને પુત્ર પૌત્ર તેમજ પુત્રીઓનો બહોળો પરિવાર પણ હોય. હવે તેવા ભર્યા ઘરમાં કોઈ ગુંડા તત્ત્વો જેવા અજાણયા માણસો ધરના ઘણું દરવાજાઓનો લાભ લઈને ગમે તે રસ્તેથી ઘરમાં પ્રવેશી ગયા હોય એટલે ઘરની સલામતી કેમ રહે ? કયારેક તેવા તત્ત્વો ધનવૈભવનો નાશ કરી નાખે, કયારેક ઘરમાંથી કોઈ ઈષ્ટ વસ્તુનું અપહરણ પણ કરી જાય. માટે ગૃહસ્થનું રહેઠાણ જવા આવવાના અનેક દ્વારોથી વિવજિત હોવું જોઈએ.
વાસ્તુ શુદ્ધિના લક્ષણો ગૃહસ્થ નિયમિત ઓછા દ્વારવાળું સુરક્ષિત ઘર બનાવવું. અને તેવું ઘર પણ જે ભૂમિ વાસ્તુના લક્ષણોથી યુક્ત હોય એટલે જે ભૂમિમાં દર્ભ નામે વનસ્પતિ ઊગતી હોય, અશોકવૃક્ષ આંબાના ઝાડ જેવાં વૃક્ષો જે ભૂમિ પર ઊગતાં હોય, મૃત્તિકા પણ શ્રેષ્ઠ વર્ણ અને ગંધયુક્ત હોય, જ્યાં - પૃથ્વીનું ખોદકામ કરતાં પાણી પણ સ્વાદિષ્ટ નીકળતું હોય, જે જમીનમાંથી ક્યારેક નિધાન પ્રગટ થયું હોય, જે જમીન માટે કયારેક શુભ સ્વમ આવ્યું હોય અથવા જે સ્થાનપર ઘર બાંધવાનું હોય તે તરફ જતાં શુભ શુકન થયા હોય, વાસ્તુશાસ્ત્રને આધારે અથવા તેવા કોઈ નિમિત્ત બળથી ગુણ દોષો જાણું શકાયા હોય તેવા સ્થાનમાં રહેવાથી ગૃહસ્થને ઉત્તરોત્તર ધનધાન્યાદિની વૃદ્ધિ થાય છે અને મનની પ્રસન્નતા પણ સારી રહે છે. વહેમવાળી જગ્યા હોય, ભૂતવ્યંતરાદિનો વાસ હોય તો મનની પ્રસન્નતા રહેતી નથી. એવી પણ ભારે