________________
૧૨૧
ભગલાચરણ
સ્વચ્છ ંદતા અને સ્વેચ્છાચાર જ્યાં પોષાવાની વાત હોય તેવી સ્વતંત્રતા તો પરિણામે ખતરનાક નીવડવાની.
સ્ત્રીઓને પણ મોક્ષપદ પ્રાપ્તિનો સંપૂર્ણ અધિકાર
શ્વેતામ્બર શાસ્ત્રામાં પંદર ભેદે સિદ્ધ કહ્યા છે. તેમાં સ્ત્રીલિંગે પણ ઘણા જીવો સિદ્ધ શૈલા છે. માટે સ્ત્રીમુક્તિ પણ શાસ્ત્રોએ માન્ય રાખી છે. સ્ત્રી સાતમી નરકે ન જાય માટે મોક્ષે પણ ન જાય ! તેવી કોઈ વાત કરતા હોય, તો તે વાત વજૂદ વિનાની છે. તેમને જ પૂછવામાં આવે કે સ્ત્રી શા કારણે સાતમી નરકે ન જાય ? તો તેઓ કહેશે કે તેના તેવા વિધ્વંસ પરિણામ નથી હોતા માટે સાતમી નરકે ન જાય. સ્ત્રીઓના તેટલા વિધ્વંસ પરિણામ નથી હોતા તો તેટલા પ્રમાણમાં પિરણામ સારા ખરા ને ? વાઢીને પણુ કબૂલ કરવુ ંજ પડશે કે હા ? તેટલા પ્રમાણમાં સારા ખરા ? માટે જ તો સ્ત્રીઓ મોક્ષે જઈ શકે છે. સાતમી નરકે તો લિયો મત્સ્ય પણ જાય છે, છતાં તે મોક્ષે જઈ શક્યો નથી. માટે આત્મા જેટલો નીચે જાય તેટલો જ ઊંચે જાય તેવો નિયમ ઘટી શકતો નથી. સાપ નીચે પાંચમી નરક સુધી જાય છે અને ઉપર આઠમા દેવલોક સુધી જાય છે. આત્મા જેટલો નીચે જાય તેટલો જ ઉપર જાય તો આ નિયમ શી રીતે ઘટી શકશે ? માટે મોક્ષપદની પ્રાપ્તિમાં સ્ત્રીઓને પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. મરૂદેવાજી, ચંદનબાલાજી, મૃગાવતીજી વગેરે કેટલાય આત્માઓ સ્ત્રીલિંગે પણ મોક્ષપદને પામેલા છે. કલ્પસૂત્રના અધિકાર પ્રમાણે ચોવીસે તિ કરોન