________________
૧૩૬
મંગલાચરણ
જ પાપ ન હોય તેવા જ પુરૂષોને ઉત્તમ કહ્યા છે.
અરે ! કેટલાક તો એવા પણ હોય છે કે જેઓ રાજદંડના ભય ને પણ ઘોળીને પી જતા હોય છે અને જીવનમાં તીવ્રતર પાપ આચરતા હોય છે. તેમને કોઈ કહે કે અરે ! તમે આવા પાપના ધંધા કરો છો સરકાર તમને પકડીને કયાંક જેલમાં બેસાડી દેશે ? ત્યાં તેઓ કહે કે ભલે સરકાર જેલમાં બેસાડશે પણ રોટલા તો ખાવા આપશેને ! રોટલા તો સરકારને આપવા જ પડવાના છે તો જેલમાં જલસા કરીશું ! આવા મનુષ્યોને અધમાધમ કોટીના કહ્યા છે. પરલોક વિષે શંકા રાખવી નહીં અને રહેતી હોય
તોએ તીવ્ર પાપ આચરવા નહીં
.संदिग्धेपि परेलोके त्याज्यमेवाशुभं बुधैः । . यदिनस्ति ततः किस्यात् अस्तिचेन्नास्तिको हतः ।।
- જ્ઞાની પુરૂષોએ તો ત્યાં સુધીમાં વિધાનો કરેલાં છે કે, પરલોક વિષે બિલકુલ શંકા રાખવાની નથી. છતાં કોઈ કર્મના ઉદયે રહેતી હોય તો પણ પંડિત પુરૂષોએ અશુભ એવા પાપ કમોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. જે મનુષ્યોએ આ ભવમાં દુકાન કર્યા હોય અને પુણ્ય ઉપાર્જન કરીને પરલોકમાં ગયા અને પરલોક ન નીકળ્યું તો, જેઓ પુણ્ય ઉપાર્જન કરીને પરલોકમાં ગએલા છે તેમનું શું બગડવાનું છે ? અને રખે પરલોક નીકળી પડયું તો જેઓ ઘોસતિઘોર પાપ બાંધીને