________________
મંગલાચરણ
૧૨૯
મૃત્યુના સમયે ધન હોભવાદિ અહિંને અહિં રહી જાય છે. અને તેની પાછળ માનવી જે પાપ આચરે છે, તે ભવાંતરમાં સાથે જાય છે. અને તે પાપ ભવોભવમાં જીવને દુખ આપનારાં હોય છે.
ધન જમીનમાં દાટી રાખેલું હોય કે પછી બેંકમાં સેફ ડીપોઝીટમાં મૂકી રાખેલું હોય, જ્યાં રાખ્યું હશે ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. કરોડો લાખો ભેગા કર્યા હશે પણ આખિર “દુનિયા દો દિન કા મેલા, સબ ચલા ચલીક ખેલા સંગ ચલે ના એક અધેલા !” આ બે લીટીમાં એવું રહસ્ય મૂકેલું છે કે, ભલભલા ધનાલ્યોનો ભ્રમ દૂર થઈ જાય. માનવી મેળવે જ જાય છે પણ તેને એ ભાન નથી કે, એક દિ મેળવેલું બધું મૂકીને જવાનું છે, અને તે દિ તેને કોઈ પાર નહીં ઉતારે. માત્ર ઉચ્ચ કરણી કરી હશે તો તે જરૂર પાર ઉતારશે. અને કહેવત પણ છે કે “અંતે કરણી પાર ઉતરાણું. નર જે ઉચ્ચ કરશું કરે તો સંત કબીર લખે છે કે, “નર કો નારાયણ હોય” ઉચ્ચ કરણના પ્રભાવે નર નર મટીને નારાયણ બને છે.
पशु की तो पनिया भई, नर का कछु न होय । नर जो करणी करे, तो नरका नारायण होय ॥
પશુ મૃત્યુને પામી જાય તોયે પાછળથી તેના ચામડાની મોજડી બને છે. અર્થાત સૂર્તી બને છે. જેને કાઠીયાવાડી ભાષામાં કાંટારખા પણ કહેવામાં આવે છે. જ્યારે