________________
૧૨૬
મંગલાચરણ
દુનિયામાં બધી વિડંબના ઊભી થઈ છે અને અતિ લોભને કારણે માનવીને ધોળા ઉપર કાળું ચિત્રણ કરવું પડે છે.
બાઘવૈભવ કરતાં આંતર વૈભવનું મૂલ્ય જબ્બરદસ્ત
માનવી ડબલ ચોપડા બનાવવા જાય પણ તેમાં તેને ટમ્બલ કેટલી પડે છે, અને પાપ એટલી બધી ભયંકર ચીજ છે કે, જેમ જેમ જીવનમાં તેનો રસ પોષાતો જાય તેમ તેમ ચિકણું લોહ જેવાં કમથી આત્મા લેવાતો જાય છે. હવે ખોટાનું સાચું કરવું એટલે માનવીને તેમાં રસ કેટલો પોષવો પડે ! શુભમાં રસ પોષાય તો પુણ્ય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ પડે. પણ એકલો અશુભમાં રસ પોષાતો હોય એટલે અશુભનો જ તીવ્ર બંધ પડે. પાપ કર્મ એવી ભયંકર ચીજ છે કે અનીતિના રસ્તેથી માનવી ભલે કરોડો કમાઈ જાય, છતાં તેને હૃદયની શક્તિ મળતી નથી. જ્યારે જુઓ ત્યારે તેના હૃદયમાં શાતિને બદલે સંતાપ જ હોય છે. અલ્પ ધની હોય છતાં નીતિ ન્યાય અને પ્રામાણિકતાથી ચાલનારો હોય તો તે જીવનમાં અનુપમ શાન્તિને અનુભવતો હોય છે.
દુનિયામાં બાહ્ય વૈભવ કરતાં પણ અંતર ભવનું મૂલ્યાંકન જબ્બરદસ્ત હોય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, સત્ય, સંતોષ સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ જે આત્મિક ગુણ છે તે જ ખરો આંતર વૈભવ છે, તેમાંનો એક પણ ગુણ જીવનમાં અંશે પણ પ્રગટેલો