________________
૧૨૪
મંગલાચરણ
પાપભીરુતા તથા પ્રસિદ્ધ
દેશાચારનું પાલન માગનુસારીતાના પાંત્રીસ બોલમાં ચોથો બોલ પાપભીરુતા છે અને પાંચમો બોલ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું તે છે. માનવી પાપથી ડરતો રહે તેને પાપભીરુતા કહેવામાં આવે છે. માનવી જે હિંસા, અસત્ય, અનીતિ, અન્યાય, ચોર્યકર્મ વગેરે પાપ કર્મથી ડરતો રહે તો જગતમાં તેને બીજા કોઈથી ડરવું ન પડે. માનવી કાં એકથી ડરે કાં પછી તેને અનેકોથી ડરતા રહેવું પડશે. સિંહ જંગલમાં કોઈથી ન ડરે છતાં તે અગ્નિથી ડરતો રહે છે, તેમ ધર્માત્મા પુરૂષ કોઈથી ન ડરે, પણ તે પાપથી ડરતો રહે છે. નિષ્પા૫ સર્વત્ર નિર્ભય હોય છે. જે પુરૂષો નિષ્પાપ હોય છે, જેમણે જીવનમાં ઘોર દુષ્કૃત્યો કરેલાં હોતાં નથી, તેવા પુરૂષોને મૃત્યુનો પણ ભય રહેતો નથી. તેવા મહાપુરૂષો મૃત્યુ ઉપર પણ વિજય મેળવીને મૃત્યુંજય બની જાય છે. જ્યારે શાસ્ત્રોમાં પાઠ આવે છે કે “પાપી સર્વત્ર બિભેતિ” પાપીને સર્વત્ર ભય હોય છે. માનવને માનવનો ભય નહીં, પણ
ભય દુષ્કૃત્યો અંગેનો કેટલાક વ્યાપારી અમલદારોથી અને ઈનકમટેક્ષ ઓફીસરોથી ભય પામતા હોય છે. ગમે તેવા અમલદાર હોય