________________
મંગલાચરણ
પ૧
શુદ્ધ નિશ્ચયધર્મ છે. તેરમે ગુણઠાણે પણ તે શુદ્ધ નિશ્ચયધર્મના કારણરૂપ ધર્મ છે. શુદ્ધ નિશ્ચયનયનો મત એજ એવંભૂતનયનો મત છે. એવંભૂતનયના મતે જીવનો પોતાનો જે શુદ્ધ ઉપયોગ અથવા તો આત્માનો નિજ સ્વભાવ એજ ધર્મ છે. એટલે આત્માએ પરભાવ માત્રનો ત્યાગ કરી પોતાનાજ શુદ્ધ સ્વભાવમાં રમણ કરવું એજ આત્મધર્મ કહેવાય. અને જીવ નિજ સ્વભાવને બદલે રાગદેષરૂપ વિભાવમાં રમણતા કરે તેજ અધર્મ અથવા તેને ભાવકર્મ પણ કહી શકાય. સવ્યવહાર તીર્થ અને નિશ્ચય તીર્થફળ
શૈલેશીના ચરમ સમયે શુદ્ધ આત્મ ધર્મ કહ્યો, પણ તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટેનાં જે જે સાધન ગુણઠાણની ભૂમિકાને આશ્રિને કહ્યા હોય, તે પણ વ્યવહારે ધર્મ છે જ. તે સાધન ધર્મ જ પરંપરાએ સાધ્યની સિદ્ધિ કરાવી આપે છે. આમ તો નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ ઉપરના પ્રત્યેક ગુણસ્થાનના ધર્મને નિશ્ચયધર્મ કહી શકાય. જેમ સમતિમાં પણ બે વિભાગ પડે છે, વ્યવહાર સમતિ અને નિશ્ચય સમકિત પણ પ્યોર એકલી નિશ્ચયની ઊંચી વાતો કરે નિશ્ચયધર્મ પ્રગટી જતો નથી. પણ પ્રત્યેક ગુણસ્થાનની ભૂમિકા અનુસાર સાધનધર્મનું પણ સાંગોપાંગ પાલન કરવું પડે છે. એકલા નિશ્ચયના આલંબને નિશ્ચય ધર્મને પામનારા અનંત કાળમાં મરૂદેવા માતાની જેમ કોઈ એકાદ માંડ નીકળી આવે છે. જ્યારે વ્યવહાર ધર્મના અવલંબને નિશ્ચયધર્મને