________________
૮૩
મગલાચરણ
વળગી ! એટલે ધર્મ કરવા જતાં ધાડ પડી ! મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાને બચાવવા જતાં પોતાના પ્રાણ આપી દીધા, છતાં ઉચ્ચ ભાવનાનો ત્યાગ ન કર્યો. એક તિય ચ ગતિના જીવે સસલાને બચાવવા જતાં પોતાની પર મૃત્યુનુ સંકટ આવી પડવા છતાં, લેશ્યા ટકાવી રાખી. જ્યારે આપણે મનુષ્યો હોવા છતાં, જરાક આપણી પર સકટ આવી પડે ત્યાં હો હા કરી મૂકીએ છીએ, અને ધર્મ ભાવનાથી પણ વિચલિત બની જઈએ છીએ. કેટલીબધી આપણી નબળાઈ કહેવાય ? ખરા સત્પુરૂષો તે કહેવાય, જે ગમે તેવી વિપત્તિના સમયે પણ પોતાના ઉચ્ચ જીવનનો પરિત્યાગ ન કરે, અને મહાપુરૂષોના માર્ગોને અનુસરે. મહાપુરૂષો જે માગે ચાલ્યા હોય, તે મને અનુસરનાર પ્રાય: દુ:ખી ન થાય.
અશુભના ઉદયે દુઃખ આવી પડે તો ધર્મી જીવ તેને નિરાનો અપૂર્વ અવસર સમજે. પોતાનો સારો વખત હોય ને લેણદાર ઉઘરાણીએ આવે તેમાં જે ખરો શાહુકાર હોય તે જરાયે મોઢું ન બગાડે. તેવી રીતે જે જીવ મનુષ્યભવાદિની સામગ્રી પામેલો હોય અને કર્માંના વિપાક સબધી અને તત્ત્વ સંબંધી સમજ પણ મેળવેલી હોય, તેવા સમયે કર્માં ઉદયમાં આવ્યા હોય એટલે ધર્મી જીવ એમજ સમજે કે, આ કનિર્જરાનો મને એક અપૂર્વ અવસર મળ્યો છે, પણ જો તિર્યંચાદિ અન્ય કોઈ ભવમાં કર્યાં ઉદયમાં આવ્યા હોત, તો હું આ ધ્યાનમ પડીને અનેકગણાં નવાં કર્યાં ખાંધત. મનુષ્ય ભવ પણ કેટલાક જીવોને એવા અનાય દેશમાં મલ્યો હોય છે અથવા આય