________________
મંગલાચરણ
૮૫
ત્રણ કાળમાંયે માની શકાય તેમ નથી. જ્ઞાન દર્શન ને ચારિત્ર જ જીવમાં સ્વતત્વભૂત છે. રાગ, દ્રેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા વિકારી ભાવો ઔદયિક ભાવ સ્વરૂપ છે. ઔદયિક ભાવો કે જે મોહનીયાદિ કર્મોદયને કારણે જીવમાં ઉત્પન્ન થાય છે, તે ભાવો જીવના સ્વભાવભૂત કેમ હોઈ શકે? તે તે ભાવો આત્મામાં ઉત્પન્ન થવામાં કર્મોદયનું નિમિત્ત ન માનવામાં આવે અને તે તે કર્મોદયની અસર આત્મા પર માનવામાં ન આવે તો તે વિકારી ભાવો જરૂર આત્માના સ્વભાવ રૂપ થઈ જાય. સ્વભાવનો કોઈ પણ કાળે નાશ થઈ શકે નહીં. રાગદેષાદિનો નાશ ન થાય એટલે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરવાથી પણ આત્માને શો લાભ થવાનો ? માટે એકલા ભાવકર્મથી જીવનો સંસાર માનનાર મિથ્યાષ્ટિ છે. જીવ અને કર્મના પરસ્પરના નિમિત્તથી
બન્નેના પરિણામો
દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં લખ્યું છે કે :
जीवपरिणामहेर्नु कम्मत्तं पुगाला परिणमंति ।। पुगालकम्म निमित्तं तहेवजीवोवि परिणमइ ।।
જીવના પરિણામના નિમિત્તથી કાશ્મણ વર્ગણાનાં પગલો કર્મપણે પરિણમે છે. અને જીવ, અણુ પુદ્ગલ કર્મના નિમિત્તથી પરિણમે છે. તે પછીની ગાથામાં લખે છે કે :