________________
૭૧
મગલાચરણ
મહારાજાને વચમાં પડવું પડયું. આ ઉપરથી સમજવાનું એટલુ જ છે કે, લોભદશા કેટલી દુ:ખદાયી છે, અને તેના લીધે પ્રાણીઓને વિડંબના કેવી ભોગવવી પડે છે. !
વધારે પડતા પરિગ્રહના સંગ્રહ અને સંરક્ષણમાંથી અંદરની ધારા કેટલી રૌદ્ર બની જાય છે તે વિસ્તારથી સમજાવી ગયા. અને એવી ધારામાંથી કયારેક નરક ગતિના આયુષ્યનો બંધ પડી જાય છે. તેવા રૌદ્રધ્યાનના પરિણામથી ખચવું હોય, તો ગૃહસ્થોએ પોતાના નિર્વાહ કરવાના ધ્યેયથી સંતોષ વૃત્તિ રાખીને નીતિ ને ન્યાયને માગેથી અર્થાન કરવુ જોઇએ. નીતિના દ્રવ્યનો પ્રભાવ એ છે કે, તેવું દ્રવ્ય હાથમાં આવતાં કેટલીકવાર હિંસકના પરિણામ પણ અહિંસક બની જાય છે, અને અનીતિના દ્રવ્યનો દુષ્પ્રભાવ એવો છે કે, તેવું દ્રવ્ય હાથમાં આવતાં યોગી ભોગી બને છે.
દુષ્ટાં ત
એક મોટા શહેરમાં રાજાને ભવ્ય મહેલ ચણાવવાનો મનોરથ જાગ્યો. તેનો પાયો નાખવા માટે જ્યોતિષી પાસે મુહૂર્ત જોવડાવ્યું. મુહૂતના દિવસે વિધિ માટે જે પંડિતને ખોલાવવામાં આવ્યા તે પડિતે કહ્યું, રાજન ! તમારે ભવ્ય પ્રાસાદ ચણાવવો છે માટે પાયામાં નાખવા માટે નીતિનું દ્રવ્ય જોઇશે, અનીતિનુ ચાલશે નહીં. રાજાએ કહ્યું, આપણા ભંડારમાં દ્રવ્ય ઘણુ છે. પંડિતે કહ્યું એ દ્રવ્ય કાસ નહીં આવે. રાજ્ય ભંડારમાં તો તમારા સમગ્ર દેશનુ દ્રવ્ય ભેગું થએલુ હોય,