________________
મોંગલાચરણ્
૭૬
આવા પુરૂષો શહેરના ગૌરવને વધારનારા હોવાથી સમસ્ત નાગરિકો માટે પ્રેરણાના સ્રોતરૂપ છે.
રાજાએ શેઠને આગ્રહ કર્યાં કે, આપની ધાર્મિકતા હું સમજી શકું છું. પણ પ્રાસાદના પાયામાં આપનુ દ્રવ્ય પડે તેવી મારી હાર્દિક ઈચ્છા છે. રાજ્યના ઉત્કર્ષ માં સમસ્ત પ્રજાનું હિત સમાએલું છે. રાજાના હુકમને માન આપી શેઠે ઉતારતાથી પોતાના ભંડારમાંથી દ્રવ્ય કાઢી આપ્યું. આ દૃષ્ટાંત પરથી સાર એ લેવાનો છે કે, નીતિના દ્રવ્ય નો શું પ્રભાવ હોય છે. અને અનીતિનુ દ્રવ્ય શરૂઆતમાં બે દિવસ સારૂ લાગે, પણ પિરણામે કેવું ખતરનાક હોય છે. માટે ગૃહસ્થોએ ન્યાય સંપન્ન વિભવવાળા મનવુ, એજ આ વિસ્તૃત વિવેચનનો સાર છે.