________________
મંગલાચરણ
પુરુષાર્થ નહીં પણ પશુતા સંસારના કામભોગમાં જીવની જે પ્રવૃત્તિ તે કામ પુરુષાર્થ. તેને પણ પુરુષાર્થ ત્યારેજ કહી શકાય કે, જ્યારે તેમાં વધારે પડતો આસક્તિનો ભાવ ન રાખે, અને અનાસક્ત ભાવે જીવ ભોગવતો હોય તેને જ સાચા અર્થમાં કામ પુરુષાર્થ કહી શકાય. બાકી કામ ભોગના કીચડમાં ગળાબૂડ ખેંચી ગયેલો હેય, અને તીવ્ર આસક્તિના ભાવને, જીવ તેમાં પિષતો હોય, તો કામ પુરુષાર્થને પુરુષાર્થ નહીં પણ એક પ્રકારની પશુતા કહી શકાય, કારણ કે, પશુ ભવમાં ને દરેક ભવમાં જીવ તેવા સંસ્કારોને પોષતેજ આવ્યો છે,
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાન પુરુષો પણ કામ પુરુષાર્થને સેવનારા હતા છતાં તેઓ કામવાસનાના કિંકર ન હતા અને વખત આવે કામ વાસના પર વિજય મેળવીને તેઓ સંયમને પંથે પણ ચાલી નીકળતા હતા. તેવા પુરુષોને જ કામ પુરુષાર્થની અપેક્ષાએ પુરુષાથી કહી શકાય. જીવનમાં એકલી કામવાસનાને પિષનારા અને સંયમ ધર્મની થેડી પણ મર્યાદાને નહીં જાળવનારાઓને પુરુષ હોવા છતાં પશુતુલ્ય કહ્યા છે. તેવાઓને કામ પુરુષાર્થની અપેક્ષાએ પણ પુરુષાર્થ કહેતાં મન અંદરથી સંકેચ અનુભવે છે. જો કે અર્થ અને કામ એ બને નામના પુરુષાર્થો છે. બાકી પરમાર્થની દૃષ્ટિએ અનર્થના હેતુ છે. સારભૂત પુરુષાર્થ તો ધર્મ અને મોક્ષજ છે. છતાં અર્થ અને કામ પુરુષાર્થમાં જેઓ તીવ્રપણે મૂર્છા અને આસક્તિને