________________
મંગલાચરણ
૩૯
ગરીબોના નિસાસા લાગેલા છે, અને તેવા શ્રીમંતોની મોટા ભાગે પાચન શક્તિ તો એટલી બધી મંદ પડી ગયેલી હોય છે કે, ખાધેલું તો તેમને પચે જ નહીં. કાગળ જેવા કુલકા આરોગતા હોય છતાં પચે નહીં ! ક્યાંથી પાચન થાય? જ્યાં કોળિયે કોળિયે ગરીબોની હાય લાગેલી હોય. માટે કહ્યું
तुलसी हाय गरीबको
| મ વારી ગાય છે ,
ઈમાનદારીથી વર્તનારા અને સન્માગે વ્યય કરનારા ધનાઢયો તો ધરતી પરના જંગમ કલ્પતરૂ છે. પોતાની સંપત્તિ વડે ગરીબોને સહાય પહોંચાડનારા શ્રીમંતો પૃથ્વીના આભૂષણ રૂપ છે અર્થાજન કરવામાં મનુષ્યોને એટલા બધા પાપ કરવા પડે છે કે દાન કર્યા વિના તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે જ નહીં. સંપત્તિના અમુક હિસ્સાનો ત્યાગ કર્યા પછી ગૃહસ્થી તેનો ઉપભોગ કરે, તેમ ઉપનિષદમાં પણ લખેલું છે. સુક્ષેત્રમાં વ્યય કરનાર જ સંપત્તિના
વાસ્તવિક ફળને પામી શકે
પહેલાં તો પરિગ્રહ એજ પાપ, અઢાર પાપસ્થાનકમાં પાંચમા પાપ સ્થાનકમાં તેની ગણના છે. તેમાં વળી અનીતિથી ઉપાર્જન કરવામાં આવે એટલે મહાપાપ કરે. નીતિથી ઉપાર્જન કરેલા ધનની પણ પરિગ્રહમાં તો ગણન છે જ