________________
મંગલાચરણ
૨૯
શબ્દ માત્રથી પોમાઈ જવાનું નથી ! તેમાં વિવેક જરૂર જોઈએ. તે અંગે આપણે ખૂબ લંબાણથી વિચારણા કરી ગયા છીએ.
હૃદય વલવી નાખે તેવા મહામૂલા વચને
અર્થ પુરુષાર્થે તો આજે દુનિયામાં જાણે કાળો કેર મચાવી દીધો છે. માનવી તેની પાછળ ન ખેલવાના દાવ આજે ખેલી રહ્યો છે. એક નંબરનાં કામકાજમાં તો માનવીને જાણે સંતોષજ થતો નથી. એટલે પછી બે નંબરનું કામ – કાજ કરવામાં તો માનવીને કેટલીકવાર ન કરવાના કૃત્યો પણ કરવા પડે છે. પછી તો માનવી બીજે કયાંય નહીં પણ કલિકાલસર્વજ્ઞ ફરમાવે છે તેમ
"दुश्चेष्टितैर्मया नाथ, शिरसि ज्वालितोऽनलः" ।।
મન વચન અને શરીરનાં દુષ્કર્મો વડે નાથ ! મેં મારા મસ્તકપરજ પ્રચંડ પાપની જ્વાલા પ્રગટાવી છે. બોધિબીજની પ્રાપ્તિમાં પ્રબલ કારણરૂપ એવા આપના આ શાસનને પામીને બધિ અને સમાધિ પામવાને બદલે રાગ દ્વેષને આધીન બનીને નાથ ! એવા તે પ્રછન્ન પાપ મેં સેવ્યા છે કે, જે કઈ યોગ્ય પુરૂષની સમક્ષ હું જાહેર કરવાને પણ અસમર્થ છું. નાથ ! લાખ લાખ ધિક્કાર છે, મારી આ પ્રછન્ન પ્રખ્ય કમિતાને !' માણસમાં થોડી પણ યોગ્યતા હોય તે, અંદરથી તેના હૃદયને