________________
૩૪
મંગલાચરણ
તો જુના જમાનામાં રાજાઓના સમયે કહેવતમાં પણ કહેવાતું કે, જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી ! સૌ સૌના કાર્યક્ષેત્રમાં સૌ પ્રમાણિકતાથી કામ કરતા રહે તેમાંજ સૌની શોભા છે.
સામુદાયિક પુણ્ય પાપ
ભારતની પ્રજાએ રામરાજનું સ્વમ સેવીને સ્વરાજ મેળવ્યું હતું. અને સ્વરાજ મેળવવાની પાછળ ભારતની પ્રજાએ કેટકેટલાં ખલિદાનો આપેલાં છે, છતાં સુખ શાન્તિના દર્શન ન થાય તો પ્રજામાં સહેજે નિરાશા છવાઈ જાય. પણ તેમાં સમષ્ટિના પુણ્યની પણ ખામી છે. જો સામુદાયિક પુણ્યનો ઉદય વતો હોત તો ભારતમાં આજે રામરાજ જ હોત. કવાદમાં માનનારો માનવી કોઈ બીજા પર દોષારોપણ કરે નહીં. તે તો વિચારે કે :
कर्म प्रधान विश्व करी
राखा ।
जो जस करही सो तस फल चाखा ॥
-
संत तुलसीदासजी
જે જેવા કર્મ કરે છે, તેવાજ ફળ તેને ભોગવવાં
હોઇએ અને ખચાવમાં
પડે છે. આજે આપણે પાપ કરતા કહીએ કે સરકારે એવા કાયદા કર્યાં છે એટલે અમારે પાપ કરવા પડે છે, તો તે કોઈ બચાવ નથી. કરેલાં કર્મ તો આપણેજ ભોગવવાં પડવાના છે. તે ટાઇમે કોઈ આપણી