________________
મંગલાચરણ
ભંડે કેઈ ફેડી ના નાખે ! પાપના પ્રકાશનનો માનવી ડર રાખે, તેટલેજ ડર જે પાપને રાખે તે જીવનમાં ઘણે મોટો લાભ થઈ જાય, આત્મા કે જે પરમાત્મા બની શકે છે, તેને પાપના ભારથી લાદવો અથવા તેને પાપથી ખરડી નાખો, તેના જેવું દુનિયામાં બીજું કઈ ભયંકર કૃત્ય નથી. એક પોતાનું કપડું ન બગડી જાય તેનું માનવી ધ્યાન રાખે છે, અને આત્મા જેવો આત્મા ભલે ગબડી જાય તેની માનવીને કોઈ ફિકર નથી. આત્મા કે જે મૂળ તત્વ કહેવાય તેનીજ બાબતમાં માનવી કેટલો બધો બેદરકાર બન્યો છે ? જ્યારે આત્મા શિવાયનાં તન ધન યૌવન બધા પદાર્થો નાશવંત છે, છતાં માનવી તેની કેટલી બધી દરકાર રાખે છે ? બસ તેજ જીવના સંસારના લાંબા પરિભ્રમણને સૂચવનારૂં છે. આત્માને યથાસ્થિત સ્વરૂપમાં ઓળખીને જીવ તેનાજ ઉદ્ધારમાં લાગી જાય, અને પર પ્રવૃત્તિ અને પર કથામાંથી જે ઊંચો આવી જાય તો ઘણજ અલ્પ કાળમાં પરિભ્રમણનો અંત આવી જાય.
નીતિથી પેટ ભરી શકાય પેટી ન ભરી શકાય
આજે ઘણું બોલતા થઈ ગયા છે કે, નીતિથી વર્તવા જઈએ તો પેટ ન ભરી શકાય. પણ એ એક પ્રકારનો ભ્રમ છે. નીતિથી પેટ જરૂર ભરી શકાય, પેટી પટારા ન ભરી શકાય. પેટ પાશેર લોટ માંગે છે, એટલે પેટની ભૂખ સામાન્ય છે. જ્યારે મનની ભૂખ અમાપ છે. પેટની ભૂખ એટલાં બધાં