________________
અગલાચરણ
કારણ છે, તો સંતોષ આત્માના સ'પૂર્ણ વિકાસનું કારણ છે. સતોષ વૃત્તિમાં આવેલો જીવ પરિગ્રહનું પરિમાણ કરીને અલ્પ પરિગ્રહી બને, અપારભી બને. સંતોષનો ગુણ એવો મહાન છે કે પરપરાએ જીવને અપરિગ્રહી અને નિરાર‘ભી અનાવે. અસંતોષને લીધે માનવીના જીવનમાં અશાંતિનો પાર નથી. માનવીને જ્યાં ત્યાંથી ધન ભેગું કરી લેવાનો જાણે હડકવા ઉપડ્યો છે. અસંતોષને લીધે માનવી ઘર છોડી વિદેશમાં જાય છે, અને ધન પ્રાપ્તિ માટે માનવી ચોમેર ભમે છે. જીવનમાં તે લેશપણ શાંતિના સુખને અનુભવી શકતો નથી.
સંતોષનેજ સળગાવી નાખ્યો ત્યાં સુખની આશાજ રાખવાની કચાં રહી ?
કલિકાલસર્વાંગ હેમચંદ્રાચાર્ય ફરમાવે છે કે—
असंतोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः । जन्तो संतोष भाजो, यदभयस्येव जायते ॥
'
ભલભલા
અસતોષની ભડભડતી આગમાં સળગતા નરેન્દ્રો અને દેવેન્દ્રોને પણ તેવું સુખ હોતુ નથી, કે જેવું સુખ અભય કુમાર જેવા સતોષી આત્માને હોય છે. અભય કુમારને શ્રેણીક મહારાજા મગધનુ' રાજ્ય આપવાને તૈયાર થયા છતાં અભય કુમારે એક તણખલાની જેમ રાજ્યનો ત્યાગકરીને સંતોષ સુખના સારરૂપ ભાગવતી પ્રવજ્યા ભગવાન મહાવીર દેવના વરદ હસ્તે અંગીકાર કરી, અને ખરેખરા આત્મિક