________________
મંગલાચરણ
ભોગવવાના સમયે તો મારે એકલાને જ ભોગવવાનાં છે. કુટુમ્બ માટે મારે કર્તવ્ય બજાવવું પડે એ જુદી વાત છે, પણ ખોટા મોહમાં પડીને મારે મારા આત્માને દંડવાની. જરૂર નથી.
અનીતિની શ્રીમંતાઈ તે સોજાની જાડાઈ
ગમે તે રસ્તેથી ધન ભેગું કરનારા માનવી માત્ર એટલું જ વિચારે છે કે ધનનો સંચય થઈ રહ્યો છે, પણ સાથોસાથ પાપનો કેટલો બધો સંચય થઈ રહ્યો છે ? તે તો વિચારવાની તેમને જાણે કુરસદ જ નથી. મહાપુરૂષો ફરમાવે છે કે, શરીરે સોજા ચડ્યા હોય અને માનવી હુષ્ટપુષ્ટ બન્યો હોય તો એ હૃષ્ટપુષ્ટતા શા કામની છે? તેનાથી તો શરીરની દુર્બળતા ઘણી સારી છે. તેવી જ રીતે અનીતિ કરીને કોઈ શ્રીમંત બને તો તે શ્રીમંતાઈ શા કામની છે? તે શ્રીમંતાઈ તો સોજાની જાડાઈ સ્વરૂપ છે. તેના કરતાં દરિદ્રતા લાખ દરજે સારી ગણી શકાય. તેવી શ્રીમંતાઈના યોગે થોડાક દિવસ માનવી સુખ ભોગવતો દેખાય, પણ પરિણામે તેને મહા ભયંકર દુઃખો ભોગવવાં પડે છે. અનીતિનું ધન શરૂઆતમાં બે દિવસ સારું લાગે પણ પરિણામે તે અત્યંત દુઃખદાયક છે. માટે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું એ ઘણીજ સારી વાત છે. પણ તે પહેલાં શરૂઆતની ભૂમિકા પણ તૈયાર કરવી જોઈએ. ઈમારત ઉપર વધારે માળ ખેંચવા હોય તો તેના પાયાની મજબુતાઈ તરફ પહેલાં ધ્યાન દેવું જોઈએ. પાયોજ કાચો હોય તો માળ ખેંચવા જતાં ઈમારત જમીન દોસ્ત થઈ