________________
મંગલાચરણ
૧૩
જેવું હિત જ પ્રકારના
પણ કરી શકતા ન
જાન દશર
અને વધ નહીં તો તાડન તર્જન રૂપ પાપ આચરી બેસે, તે. કષાય રૂપી વૃક્ષનાં ફળો છે, માટે તેના પુષ્પ અને ફળ બને. કટુક છે. કષાયાત્મા એ બહિરાત્મા છે, તે પોતાનું જેવું અહિત કરે તેવું અહિત ભલભલા દુશ્મનો પણ કરી શકતા. નથી. જ્ઞાનાત્મા દર્શનાત્મા જે જ્ઞાન ને દર્શન સમ્યગ પ્રકારના હોય તો તે અંતરાત્મા છે. તે પોતાનું જેવું હિત કરે છે તેવું જિગરજાન મિત્રો પણ કરી શક્તા નથી. અંતરાત્માજ ક્ષાયિકભાવે જ્ઞાન દર્શન અને ચારિત્રને પામીને પરંપરાએ પરમાત્મા બને છે. ભગવતીસૂત્રમાં આ રીતે આઠ પ્રકાર આત્માના કહ્યા છે, પણ અત્યારે તે ચર્ચા પ્રસ્તુત નથી માટે ઉડતો ઉલ્લેખ કર્યો છે. ત્રિવિધ આત્મા પર આપણા તરફથી બહાર પડેલાં અખંડ જ્યોત પુસ્તકમાં ખૂબ લંબાણથી વિવેચન કરેલું છે. શાસનની પ્રભાવના એ મહાન પુણ્ય અને
શાસનની હેલના એ મહાપાપ આપણે મૂળ વિષય એ હતો કે ધર્મની ક્રિયા કરનારા મનુષ્યો તીવ્ર કષાયના ઉદયવાળા હોય અને બહારના ક્ષેત્રમાં નીતિ અને ન્યાયના પાલનવડે વ્યવહાર શુદ્ધિ પણ ન જાળવી શકતા હોય તો તેવા મનુષ્યોથી ધર્મની પ્રભાવના થવાને બદલે ઉલટી હેલના થાય છે, આપણાથી જૈન શાસનની જે પ્રભાવના થાય તો સમજવું તેના જેવું કોઈ મહાન પુણ્ય નથી. શાસનની પ્રભાવના કરવા જેવું આપણું પુણ્યબળ ન હોય તો કમથી કમ જીવનમાં એવા કૃત્યો તો નહીં જ કરવા જોઈએ કે જેથી શાસનની હેલના થવા પામે. પ્રકૃતિમાં ન શાંતતા હોય