________________
કા
, જી
જનજઈ
રે,
- વિરા - મહિલવાર રતિ
{ ૧૫૭
ભૂત કર્મનો સદ્ભાવ હોવો જોઈએ. તથાચ પ્રદ્યોત્યના અભાવમાં પ્રદ્યોતકરત્વનો અભાવ છે એટલે સામર્થ્યથી (શબ્દાર્થ ઉભય શક્તિથી) પ્રદ્યોત્યનું ગમ્યમાનપણું સમજવું અર્થાત “સત્તઃ પ્રણોતિન્ત' “અરિહંતો દર્શાવે છે?-કોને પ્રકાશિત કરે છે “નું પ્રોતત્તિ?” “કોને દર્શાવે છે ?-કોને પ્રકાશિત કરે છે ?' આ આકાંક્ષાને શમાવવા ખાતર “પ્રદ્યોત્ય' રૂપકર્મપદનો અધ્યાહાર કરવો ન્યાયયુક્ત છે.
શંકા-પ્રદ્યોત (શ્રુતજ્ઞાનાવરણાદિષયોપશમરૂપપ્રદ્યોત) ઘર્મવાળા પણ જીવાદરૂપ તત્ત્વો કેમ નહીં ? જો જીવાદિતત્ત્વને પ્રદ્યોતધર્મસંપન્ન માનીએ તો પ્રદ્યોતધર્મસંપન્ન-સંપૂર્ણ લોકવિષયક પ્રદ્યોતકરત્વ ભગવંતોમાં સિદ્ધ થાય ! જીવાદિતત્ત્વમાં પ્રદ્યોત્યત્વ હોય તો જ પ્રદ્યોત સંભવી શકે એમ કેમ ?
સમાધાન-જો જીવાદિતત્ત્વમાં પ્રોત્સત્વરૂપ ઘર્મ ન સ્વીકારો અને પ્રદ્યોતરૂપ ધર્મ માનો તો, પ્રદ્યોત્સત્વરહિતધર્માસ્તિકાયવિ. અચેતનોમાં પ્રદ્યોતન-પ્રદ્યોતરૂપ ધર્મનો અભાવ છે. કારણ કે; “પ્રદ્યોતન-પ્રદ્યોતઃ” આવી વ્યુત્પત્તિ હોઈ ભાવસાધનરૂપ પ્રદ્યોત નથી. અહીં ભાવ એટલે આખરૂપ વીતરાગ વચનરૂપ સાધ્યશ્રુતાવરણક્ષયોપશમ સમજવો અને સાધન તો પ્રદ્યોત (વીતરાગવચનરૂપ ત્રિપદી પ્રકાશ) સમજવું. તેનો અભાવ હોવાથી અચેતનોમાં પ્રદ્યોત કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ ન જ સંભવી શકે.
શંકા-તમારું કહેવુ બરાબર છે. પરંતુ પ્રદ્યોત્યત્વ સહિત અચેતનામાં પ્રદ્યોત કેવી રીતે ઘટે ? -પૂર્વોક્ત શંકાના સમાધાનપૂર્વક શક્રસ્તવના ચૌદમા પદનો ઉપસંહાર
अतो ज्ञानयोग्यतैवेह प्रद्योतनमन्यापेक्षयेति, तदेवं स्तवेष्वपि एवमेव वाचकप्रवृत्तिरिति स्थितम् । एतेन "स्तवेऽपुष्कलशब्दः प्रत्यवाय" इति प्रत्युक्तं, तत्त्वेनेदशस्यापुष्कपकलत्वायोगादिति लोकप्रद्योतकराः १४ ॥
ભાવાર્થ-એ કારણથી-ધર્માસ્તિકાયઆદિ અચેતનોમાં ભાવસાધન પ્રદ્યોતનો અભાવ હોવાથી જ, અહીંભાવસાધન પ્રદ્યોતના અભાવવાળા-અચેતન-ધર્માસ્તિકાય વિગેરેમાં, અન્યઅપેક્ષાએ-તસ્વરૂપ (અચેતનાદિસ્વરૂપ) પ્રકાશક આપ્તવચનની અપેક્ષા રાખીને, જ્ઞાનયોગ્યતા જ-શ્રુતજ્ઞાન જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાન પ્રત્યે વિષયભાવપરિણતિ જ પ્રદ્યોતન-પ્રકાશ સમજવો. શ્રુતાવરણક્ષયોપશમરૂપ પ્રદ્યોત નહીં સમજવો. જેમ કે, પ્રદીપપ્રભા વિગેરેરૂપ પ્રકાશકની અપેક્ષા રાખીને, ચક્ષુખા-દ્રષ્યમાં, દર્શનવિષય-દ્રશ્યરૂપઘટાદિ પદાર્થની, દર્શનક્રિયાવિષયભાવપરિણતિને જ (ઘટાદિવિષયના દર્શનક્રિયામાં વિષયપણાએ પરિણમનને જ) પ્રકાશ કહેવાય છે. તેમ અહીં સમજવું. તથાતિ-જેમ પ્રદીપપ્રભારિરૂપ પ્રકાશકની અપેક્ષા રાખીને ચહુસ્માનું દ્રના દર્શનરૂપ વ્યાપાર પ્રત્યે વિષયભાવ પરિણિત જ દ્રશ્યઘટાદિગત પ્રકાશ કહેવાય છે. તેમ અચેતનાદિસ્વરૂપ પ્રકાશક વીતરાગવચનની અપેક્ષા રાખીને, શ્રુતજ્ઞાનજ્ઞાતાના જ્ઞાનરૂપ વ્યાપાર પ્રત્યે, વિષયભાવપરિણતિ જ અચેતનાદિગત, પ્રદ્યોત-પ્રકાશ કહેવાય છે. બીજો નહીં એમ સમજવું.
–શક્રસ્તવના ચૌદમા પદનો ઉપસંહાર
ઉપરોક્ત પ્રતિપાદનથી સિદ્ધ થાય છે કે; “આ પ્રમાણે જ સ્તવમાં-સ્તુતિસ્તોત્રોમાં પણ વાચક-શબ્દની પ્રવૃત્તિ-પ્રણાલિકા વસ્તુસ્થિતિ છે.”
१-शब्दाध्याहारः- आकाङिक्षतशब्दानुसन्धानम् (नील. ४ पृ. ३१) यथा पिधेहि इत्युक्ते द्वारमिति द्वितीयान्तपदाध्याहारः ।
*
કાકી
આ ગુજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મારા