Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 458
________________ ક:: : : કે , તિ-વિરારા આ હરિભદ્રસાર શad હવે કેવા જિનમતમાં ? તો કહે છે કે, લોકો યત્ર પ્રતિષ્ઠિતો જગદિદે નૈલોક્ય મનુષ્યાસુર લોકલોકશબ્દના ઘણા અર્થો થાય છે. તેમાંથી લોકન-જોવું તે લોક અર્થાત જ્ઞાન એ અર્થ અહીં સંગત છે. મતલબ કે જ્ઞાનરૂપી લોક છે કે જ્યાં આ જગતુ શેયપણાએ (જ્ઞાનવિષયપણાએ) પ્રતિષ્ઠિત-પ્રમાણ-સિદ્ધ છે. કેટલાક લોકો મનુષ્યલોકને જ “જગતુ' તરીકે માને છે, તેના મંતવ્યનું ખંડન કરતાં કહે છે કે “ત્રણલોક'–મનુષ્ય આદિના આધારભૂત મધ્યલોક, સુરઆદિના આધારભૂત સ્વર્ગલોક, અસુર આદિના આધારભૂત અધોલોક-પાતાલ લોક. અર્થાત્ મનુષ્યઆદિ આધેય અને મધ્યલોક આદિ આધાર-આધાર-આધેય સ્વરૂપ ત્રણલોક રૂપ જગતું જે જ્ઞાનમાં-શ્રુતજ્ઞાનમાં શેયપણે પ્રતિષ્ઠિત છે. આવા પ્રકારનો આ શ્રતધર્મ, શાશ્વત (ક્રિયા વિશેષણ રૂપ શાશ્વત અર્થાત્ વૃદ્ધિ પામો ! તો કેવી વૃદ્ધિ પામો ? તો કહે છે કે શાશ્વત વૃદ્ધિ પામો એવી રીતે અહીં ક્રિયાનું વિશેષણ શાશ્વત ઘટાવવું) અખંડિત-અવિચ્છિન્ન રીતે અનર્થમાં પ્રવૃત્તિશીલ પ્રવાદીના વિજય રૂપ વિજયથી વૃદ્ધિ પામો ! તેમજ જેના ઉત્તરમાં-પછી ફલસ્વરૂપે ચારિત્રધર્મ છે. એવો શ્રતધર્મ, અર્થાત્ ચારિત્રધર્મરૂપફલજનકપણાએ પ્રસિદ્ધ એવો શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો ! શ્રતધર્મની સંપૂર્ણ વૃદ્ધિ થતાં તે ઋતઘર્મ, ચારિત્રધર્મમાં પરિણમો ! એવું પ્રાર્થના રૂપે સૂચિત થાય છે. સારાંશ-પરસાક્ષીએ સાદર નમસ્કારના વિષયભૂત, તથા તે જ્ઞાનરૂપી લોક છે કે જ્યાં મનુષ્ય આદિરૂપ આધેય, મધ્યલોક આદિ આધાર રૂપ ત્રણલોકસ્વરૂપ જગત શેયપણાએ પ્રતિષ્ઠિત છે, (અથવા શેયપણાએ પ્રસિદ્ધ આ મનુષ્ય આદિ આધેય-મધ્યલોક આદિ આધાર સ્વરૂપ ત્રણેલોક રૂપ જગદ્ વિષયક જ્ઞાન જ્યાંજિનમતમાં પ્રતિષ્ઠિત છે.) અને સિદ્ધ એવો જિનમત હોય છતે દેવ-નાગ સુપર્ણ-કિન્નરના સમૂહથી સાચા હૃદયમાં ઉલ્લાસ પૂર્વક પૂજાયેલ સંયમમાં (સંયમ અને સંયમવંતનો અભેદ માની અહીં આ પ્રયોગ જાણવો) ચારિત્રમાં સદા-સર્વકાળ સમૃદ્ધિ છે. એટલે જ અનર્થપ્રવૃત્તપરપ્રવાદીના વિજય રૂપ-વિજયથી, હૃતધર્મ-જિમતજિનઆગમ, શાશ્વત-અવિચ્છિન્નધારાબંધ વૃદ્ધિ પામો ! જેના ઉત્તરમાં-ફલમાં પછીથી તરત જ ચારિત્ર ધર્મ છે, એવો શ્રતધર્મ, વૃદ્ધિ પામો ! અહીં પુનઃ-ફરીથી વૃદ્ધિ પામો' એવું કથન, “મોક્ષના અર્થી પુરૂષે હંમેશા-નિરંતર જ્ઞાનવૃદ્ધિ-જ્ઞાનમાં નવો વધારો કે ઉમેરો કરવો જોઈએ એમ દર્શાવવા સારૂ કરેલ હોઈ ભાનભૂલેલા-નિદામાં સુતેલા ભવ્ય જીવોને જાગૃતિદાયક ડિડિમનાદ સરખું છે. અહીં એવો ગૂઢ આશય છે કે, તીર્થંકર નામકર્મના હેતુઓનું પ્રતિપાદન કરતા શાસ્ત્રકારે કહ્યું છે કે “અપૂર્વજ્ઞાન-પ્રતિદિન નવનવા જ્ઞાનનું ગ્રહણ' એ એક તીર્થંકર નામકર્મના પ્રત્યેનું અપૂર્વ કારણ છે. અપૂર્વ જ્ઞાનગ્રહણ, અપૂર્વ તીર્થંકરપદવી સુધીનું ફલ અપાવે છે એટલે તે કર્તવ્ય-સુકર્તવ્ય સુચિર-કર્તવ્ય થાય છે. સકિરસૂરિ મ. સા. ગુજરાતી અનુવાદકજનક

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518