________________
- લલિત-વિરારા જી હરભદ્રગર રચિ
કડક
(
૬ ૩૩૫
एवं च धृत्या-न रागायाकुलतया, धृतिर्मनःप्रणिधानं, विशिष्टा प्रीतिः, इयमप्यत्र मोहनीयकर्मक्षयोपशमादिभूता रहिता न्यौत्सुक्याभ्यां धीरगम्भीराशयरूपा अवन्ध्यकल्याणनिबन्धनवस्त्वाप्त्युपमया, यथा-दौर्गत्योपहतस्य चिन्तामण्यायवाप्तौ विज्ञाततद्गुणस्य तमिदानी दौर्गत्यमिति विदिततद्विधातभावं भवति धृतिः, एवं जिनधर्मचिन्तारत्नप्राप्तावपि विदिततन्माहात्म्यस्य क इदानीं संसार इति तदुःखचिन्तारहिता सआयत एवेयमुत्तमालम्बनत्वादिति,
ભાવાર્થ-જેમ શ્રદ્ધા વડે, મેઘા વડે કાઉસ્સગ્ગ, સફલ થાય છે. તેમ વૃતિ વડે (રાગાદિથી દોરાયા વિના, શાંતિથી રાગાદિની આકુલતાના અભાવપૂર્વક) કાઉસ્સગ્ગ, સફલ થાય છે. હવે ધૃતિનું લક્ષણ સ્વરૂપ દાંતદ્વારા નિરૂપણ કરતા કહે છે કે -
ધૃતિ મનની પ્રણિધાનદશા અર્થાત્ ચિત્તની એકાગ્રતા, (એકતાનભાવ અનન્યવૃત્તિતા વિગેરે) બીજે કેકાણે જતા ચિત્તને રોકીને-ત્યાંથી ખેંચીને કાઉસગ્નમાં, નમસ્કાર વિષયભૂત પદાર્થમાં જોડવું, સુસંગત કરવું, તેજ ક્રિયામાં લાગુ કરવું તેને મન:પ્રણિધાન કહે છે.
અર્થાતુ વિશિષ્ટ પ્રીતિ-નમસ્કાર વિષયના પ્રત્યે સર્વાતિશાયી પ્રેમ-અંતરંગ સ્નેહ વિશેષ, તેને વૃત્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. (મોહનીયકર્મ ક્ષયોપશમાદિજન્યત્વેસતિ મનઃ પ્રણિધાનસત્ત્વસતિ વિશિષ્ટ પ્રીતિમત્ત્વ ધૃત્યા લક્ષણમુ-જે મોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થતી, મનની પ્રણિધાનની સત્તા હોય છતે, વિશિષ્ટ પ્રીતિને ધૃતિ ઓળખાવવામાં આવે છે.)
ધૃતિ સ્વરૂપ(અ) આ સ્થળમાં જે વૃતિ છે તે ધૃતિ, મોહનીયકર્મના ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયથી ઉત્પન્ન થતી
(આ) દીનતા (મેળવવાની ખૂબ તમન્ના થયે છતે તે હમણાં મળશે-હમણા મળશે આવી તૈયારી હોવા છતાં ન મળવાથી થતી દીનતા)-લાચારી-કંઈ બની શકે નહિ એવી હાલત, અને ઉત્સુકતા (એકદમ મેળવવાની ઉતાવળ) તે બેથી રહિત અર્થાત્ દીનતા-ઉત્સુકતા વગરની વૃતિ હોય છે.
(ઈ) દીનતા અને ઉત્સુકતાનો અભાવ હોવાથી જ ધીર (ધીરજવાન-ઠરેલ-વૈર્યવાળા) અને ગંભીર (મોટા-વિશાલ-ગંભીરતાવાળા) આશય-ભાવ-ચિત્તવૃત્તિરૂપ ધૃતિ હોય છે.
(ઉ) અવળ્ય-સફલ, (નિયમા ફલજનક,) કલ્યાણના (અલ્યુદય-સુખશાંતિ-આબાદિ ઐશ્વર્યના) બીજરૂપ વસ્તુની પ્રાપ્તિની સાથે વૃતિને રાખવામાં આવે છે.
જેમકે કંગાલને (અત્યંત ગરીબ-નિર્ધન-દરિદ્રને) ચિંતામણિ-રત્ન વિગેરેની (જે ઈચ્છીએ તે પ્રાપ્ત થાય એવી એક અદ્દભૂત ચીજ, સ્વર્ગમણિ વિગેરેની) પ્રાપ્તિ થાય અને તેના ગુણની (શક્તિ-ફાયદો-ઉપકારઅસરની) ઓળખાણ થાય ત્યારે "હવે ગરીબાઈ-ગઈ" એ જાતિની, અવૃતિ-અધીરાઈ-દરિદ્રતાના વિનાશભાવના વિજ્ઞાનપૂર્વકની, ચિંતામણિ પ્રાપ્ત કરનારને પૂરેપૂરી વૃતિ (માનસિક સંતોષ-સ્વાધ્ય) થાય છે.
ક
રાતી અનુવાદક -
ભદ્રકરસૂરિ મા