________________
- વિરા - હરિભવસર રત
૬ ૨૨૫ “આવરણક્ષયજન્ય (નિદ્રાવિગેરે રૂપ આવરણક્ષય વિશેષ રૂપકારણજન્ય) જ્ઞાનનો અતિશય - સર્વોત્કૃષ્ટજ્ઞાન હોય છે. આ વિષય, સ્વાનુભવરૂપ પ્રત્યક્ષ-અનુમાન વિગેરે પ્રમાણોથી પ્રગટ રીતે પ્રતીત થાય છે.
–ઉપરોક્ત ચર્ચાચર્વણથી જે ફલિત થાય છે તેનું કરાવાતું દિગ્ગદર્શન તથા ૨૫ મા પદનો ઉપસંહાર
न चास्य कश्चिदविषय इति स्वार्थानतिलङघनमेव, इत्थं चैतद्, अन्यथा अविकलपरार्थसम्पादनासम्भवः, तदन्याशयायपरिच्छेदादिति सूक्ष्मधिया भावनीयं, ज्ञानग्रहणं चादौ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्येति ज्ञापनार्थमिति अप्रतिहतवरજ્ઞાનરર્શનઘરાઃ ૨૧ .
ભાવાર્થ –પ્રકૃષ્ટજ્ઞાનરૂપ કેવલજ્ઞાનને કોઈપણ, શેયવિશેષ (જોયવ્યક્તિ) વિષય-ગોચર નથી એમ નથી પરંતુ સર્વયો-શેયમાત્ર વિષય છે. કારણ કે; સર્વે સત્પદાર્થો શેયસ્વભાવરૂપ સ્વાર્થનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ સર્વે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક સત્પદાર્થો, જ્ઞાનવિષયતા - શેયત્વરૂપશેયસ્વભાવાભિન્ન છે. એટલે જ કેવલજ્ઞાનપ્રતિબંધક તમામ આવરણો દૂર થવાથી કેવલજ્ઞાન, અપ્રતિસ્પલિત-નિર્બાઘાત-લોકઅલોકમાં સદાને ઠેકાણે વ્યાઘાતને નહીં પામનારૂં, વિભુ-સર્વવ્યાપી-સર્વ વિષય વિષયક છે.
આ પ્રમાણે ઉપરોક્ત યુક્તિ કે ન્યાયથી, પ્રકૃત સૂત્રના અપ્રતિકતવર-જ્ઞાનદર્શનધરત્વરૂપ સ્વાર્થના અતિલંઘન-અતિક્રમણનો ઓળંઘવારૂપ ઉલ્લંઘનનો - હદ બહાર જવાનો) સદંતર અભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ અરિહંત ભગવંતોમાં અપ્રતિહતજ્ઞાનદર્શનારત્વરૂપ પ્રકૃત સૂત્રનો અર્થ-સ્વાર્થ, સંપૂણશે વ્યાપ્ત છે વાસ્તુ પ્રકૃતસૂત્ર, સત્ય અર્થવાળું છે. જો ભગવંતોમાં પ્રતિહતજ્ઞાનદર્શનઘરત્વ માનો તો, અસત્ય અર્થવાળું સૂત્ર થવાથી પ્રકૃત સૂત્રમાં, અપ્રતિકતવર જ્ઞાનદર્શનધરત્વરૂપ સ્વાર્થરૂપ સત્યાર્થનું અતિસંઘનઅતિક્રમણ-હદ બહાર જવાનો પ્રસંગ-આપત્તિ આવે ! જે સર્વથા અનિષ્ટરૂપ છે.
વળી આ પ્રકારે જ-અપ્રતિહતવરજ્ઞાનદર્શનરૂપપ્રકાર વિશિષ્ટ જ આ અરિહંતરૂપ વસ્તુ છે. જો અરિહંતભગવંતોમાં અપ્રતિહતવરજ્ઞાનદર્શનરૂપ પ્રકાર કે વૈશિ ન માનવામાં આવે તો અવિકલપરિપૂર્ણ પરોપકારરૂપ પરાર્થ સંપાદનનો અસંભવ થઈ જાય ! અર્થાતુ ભગવંતો પરિપૂર્ણ પરાર્થસંપાદકો છે એમ ઘટી શકે નહીં કારણ કે; પુરૂષાર્થ-ઉપયોગી ઈષ્ટતત્ત્વથી ભિન્ન-જાદા જે અભિપ્રાય-દ્રવ્ય
૧ જ્ઞાન અને દર્શન એ બેમાં જ્ઞાન, પ્રધાનપદ ભોગવે છે, કેમકે જ્ઞાન દ્વારા જ સકળશાસ્ત્રદિના વિષયો પરત્વે વિચાર થઈ શકે છે. વળી જ્ઞાનરૂપ ઉપયોગમાં જ વર્તતો જીવ સર્વલબ્ધિઓ મેળવી શકે છે. આ વાત દર્શનરૂપ ઉપયોગમાં વર્તનારા જીવના સંબંધમાં ઘટી શકતી નથી. કહ્યું પણ છે કે “વાગો ઢિગો સાકારોવગોવત્ત, નો મારોવોનોવેત્તા” વળી, જે સમયે આત્મા સમસ્તકર્મથી મુક્ત થાય છે તે સમયે તેને જ્ઞાનરૂપ જ ઉપયોગ હોય છે, દર્શનરૂપ ઉપયોગ તો બીજા સમયે થાય છે. વિશેષમાં કેવલજ્ઞાનીઓને અર્થાત્ સર્વજ્ઞોને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે, જ્યારે અન્ય છવસ્થ પ્રાણીઓના સંબંધમાં એથી ઉલ્ટી હકીકત છે, અર્થાતુ તેમને તો પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે.
.
અ
રાતી અનુવાદક -
મદરસૂરિ આ