________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૫).
સુપાત્રદુ ૧ છે. સંપૂર્ણ શકિત એમાં રહેલી છે. અનેક આત્માઓએ આ સર્વોત્તમ મનુષ્યદેહ ધારણ કરીને અનાદિકાળથી પિતાના પગમાં પડેલી કર્મ મહારાજાની બેડીઓની શૃંખલાઓના સહસ્મશ: ટૂકડા કરીને, પોતાની આત્મસિદ્ધિ મેળવી છે.
આત્મતત્વ, આત્મશકિત અને માનવદેહ આટલી વસ્તુ સમજ્યા પછી ધર્મની જ8 કયાં છે એ સમજવું હવે વધુ કઠિન નથી. અગર સાવ સાદી ભાષામાં ટૂંકામાં સમજવું હોય તે એટલુંજ કહેવું બસ થશે કે-અંકુરાથી બીજ થતું અટકાવવું અને બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાની તાકાત નષ્ટ કરવી! એટલે કે કર્મથી જન્મ અને જન્મથી કર્મ એ અંકુર બીજ અને બીજ અંકુરની અવિચ્છિન્ન ચાલી આવતી અનાદિની આત્મઘાતક પરંપરાને તેડી પાડવી. અલબત જે પરંપરા મેઈના પણ કર્યા કરાવ્યા વગર સ્વયંભૂ રીતે અને તે પણ પાછી આજકાલની નહિ પરંતુ અનાદિ કાળથી ચાલી આવતી હોય તેને અટકાવવી એ અવશ્ય બહુજ કઠિન કાર્ય છે, પણ સાથે સાથે એ પણ ખરૂં જ કે-એ કઠિન છે કે સુગમ છે, ગમે તે છે, આત્માથી માણસે એ કાર્ય કરવું જ જોઈએ. અન્યથા આત્મદર્શનનું સ્વપ્ન પણ દૂર રહેવાનું ! અને વળી જગતનું કયું એવું મહાન કાર્ય છે કે જેની સિદ્ધિમાં અનેક આપત્તિઓને સામને ન કરે પડતું હોય, અનેક ઉપાધિઓ ન વહેરવી પડતી હોય, દુઃખના દરીયામાં ન પડવું પડતું હોય, કે સતત પરિશ્રમ ન કરવો પડતો હોય ! જ્યારે જગતની સાંસારિક અને ક્ષણભંગુર વસ્તુઓની પ્રાપ્તિ માટે આટ આટલું સહન કરવું પડે તે પછી આત્મદર્શનનું કાર્ય કે જેના કરતાં જગત ભરમાં કેઈપણું કાર્ય વધુ મહત્વવાળું નથી, તેની સિદ્ધિ અગર કઠિન-અતિ કઠિને હોય તે તેમાં ન બનવા જેવું શું છે? જ્યાં સુધી આત્મા એ મુકિતમાર્ગની કઠિનતાને જ વિચાર કરીને કર્મના બંધને તેડવા તૈયાર નહિ થાય ત્યાં સુધી આ ચારગતિક સંસારમાં એને ભમવુંજ પડવાનું! નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિએ આ આત્માની રખડંપટ્ટીના રસ્તાઓ છે. એ ચારેમાંની એકે ગતિ એવી નથી કે જે ગતિમાં માત્ર ધમી આત્માજ જન્મ લે. દરેકે દરેક સુગતિમાં ધમ અને કુગતિમાં અધમ બન્ને પ્રકારના છ જન્મે છે, એટલે કોઈ પણ ગતિ ધીમી પ્રાણીઓ માટે રજીસ્ટર થયેલી નથી જ. અવિરતિ મિથ્યાણિ દેવપણમાં પણ જાય છે અને મનુષ્યપણું પણ પામે છે. નરક અને તિર્યચપણ માટે તે કહેવું જ શું? એટલે કહેવાનો મતલબ એ છે કે કેઈ ગતિવિશેષના લીધે સાચા ધમપણાની પ્રાપ્તિને નિર્ણય નથી થઈ શકતું, પરંતુ સાચા ધમપણાને નિર્ણય તો આ અનાદિ સંસારની સાંકળને જેમ બને તેમ ટૂંકી કરવામાં જ રહેલ છે. જેમ જેમ આ સંસારથામણ ઓછું થતું જાય તેમ તેમ વધારે ધમપણું મળ્યું સમજવું અને એ સંસારબંધનની સાંકળને ટૂંકી કરવામાં સહાયતા આપવી એજ ધર્મનું કાર્ય છે, અને એ કાર્ય કરવા માંજ ધમની જડ સમાયેલી છે! જેમ સંસાર ઘટે તેમ ધર્મ વળે એમ સમજવાનું છે. એટલે મહાનુભાવે, તમે આ ધર્મનું સાચું રહસ્ય સમજે અને એ પ્રમાણે તમારા કર્મબંધન ઓછા કરવા માટે ઉદ્યમ કરે તે જ તમારા આ માનવદેહનું સાર્થક છે, અને ત્યારેજ તમને ધર્મની ખરી પ્રાપ્તિ થઈ છે એમ સમજજે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com