Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 370
________________ આનંદ-સુધાસિંધુ. (૩૪૨) સુષાબિંદુ ૧ લું. આપવો રહ્યો કે એકજ શરીરમાં અનંતાછ માનવાજ પડશે. હેતુ અને યુક્તિથી પણ આ રીતે સ્પષ્ટ થાય છે કે એકજ શરીરમાં અનંતાનું અસ્તિત્વ શકય જ છે. શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય અને તેમાં જીવે તે અનંતા સમાવવાના હોય છે એટલે એકજ શરીરમાં અનંતા માનવાજ પડે છે, એ સ્થિતિ તેજ અનંતકાયની સ્થિતિ છે. અનંતાજી એકજ જરીરમાં હવા તેનું જ નામ અનંતકાય છે. શરીરનું પ્રમાણ કેટલું હોય છે એ પ્રશ્નને વિચાર કરતાં આપણે સાબીત કર્યું છે કે શરીર અસંખ્યાતમા ભાગનું હોય છે અને જે તે અનંતા છે હવે એ અનંતા છોને અને શરીરનું પ્રમાણ કેવું હોઈ શકે તે વિચારીએ. આહારની બાબતમાં બધા વિચારશીલ એક શરીર તુજાર જોજનનું પણ હોય છે અને એક શરીર આગળના પણ અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. એક શરીર એક જીવ બનાવે છે તે બીજું શરીર અનંતા જ બનાવે છે. હવે ચાર વિકલ્પ રાખીએ તે જઘન્ય પ્રમાણ કયાં આવે છે તે જોઈએ. અનંતાજી મળીને જે બારીકમાં બારીક શરીર બનાવે છે તે જઘન્ય પ્રમાણ છે. શરીરની ઓછામાં ઓછી એટલે કે નાનામાં નાની સ્થિતિ એ છે કે જેની આગળ બીજા એથીય નાના શરીરની હસ્તી જ અશક્ય છે. આગળના અસંખ્યાતમા ભાગનું શરીર એ શરીર માપનું જઘન્ય પ્રમાણ છે. એ માપથી એક અંશ પણ ઓછાનું શરીર હોઈ શકતું જ નથી. આહાર અને શરીર એ બંને અસંખ્યાતમાં ભાગ જેટલા છે તેનાથી તેમનું ન્યૂન પ્રમાણ બીકુલ પણ નથી. આથી જ સ્પષ્ટ થાય છે કે એકેન્દ્રિય પણ આહાર લેવાની બાબતમાં વિચારવાળા છે અને તેથી આપણે મૂળ સિદ્ધાંત સાબીત થાય છે. ખરે “વિચારવાળે કે? દરેક જીવમાત્ર આહાર લેવાના વિચારવાળા છે એ આપણે મૂળ સિદ્ધાંત આમ સાબીત થાય. એકેન્દ્રિય આહાર લેવાના વિચારવાળા છે એટલે એકથી વધારે ઇન્દ્રિયવાળા તે આહારની બાબતમાં વિચારવાળા હોય એ સ્વાભાવિક છે. જે જીવો આહારના વિચારવાળા છે તે સઘળા જ શરીરને અંગે વિચારવાળા છે જ, પરંતુ જેઓ માત્ર શરીરને અંગેજ વિચારવાળા છે તેને શાસ્ત્રકારે વિચારવાળા માનવાની ના પડે છે ! ઇન્દ્રિયોના વિચારવાળાને જેમ શાસ્ત્રકારો વિચારવાળા માનતા નથી તેજ પ્રમાણે ઇન્દ્રિયના વિષયેજ જેઓ વિચાર કરે છે અર્થાત વિષને અંગે જે વિચારવાળા છે તેવાઓને પણ શાસ્ત્રકારો વિચારશીલ માનતા નથી. જીવ એકેન્દ્રિય છે કે વધારે ઇન્દ્રિયવાળે હે પરંતુ તે સઘળાને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ છે અને તેથીજ એ ચારે સંજ્ઞા પ્રત્યેક જીવને માનવામાં આવી છે. અસંસી અને હેતુસરી પ્રત્યેક જીવને આ ચાર સંજ્ઞા છે પરંતુ તે છતાં તે સઘળા જેને શાસ્ત્રકારોએ સંજ્ઞી માન્યા નથી. જે આહાર, ભય, મૈથુન કે પરિગ્રહ એ ચાર સંજ્ઞામાંથી કોઈપણ એક સંજ્ઞાને અંગે વિચારશીલતા રિઝ રાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376