Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 347
________________ આન-સુધાસિંધુ. સુણાદિ ૧૩ પાણી કરે છે તેમણે આ શરીરને બરાબર તપાસવાની જરૂર છે. શરીરમાંથી જે નિત્ય ગંદા પદા બહાર નીકળે છે તે ઉપરથી જ આ શરીર કેવું દારૂણ છે તે આપણે જાણી શકીએ છીએ. શરીરને તમે ગમે તેવું મનહર કહે, સુંદર કહે અને એની સેાડમાં ભરાયા કરે છતાં એની ગીચતા તે તમોને પણ સાલે છે. જોઈએ તે તમારા પિતા, પુત્ર, પત્ની, માતા, ભગિની કે પતિ ગમે તેને દેહ હોય પરંતુ જયારે તેના ઉપર ઓપરેશન થાય છે ત્યારે એ ઓપરેશનથી દગ્ય થયેલો ભાગ તમને પણ જે ગમતું નથી. નજીકના સગાં ભલે હિંમત રાખીને ઓપરેશન વખતે પાસે ઉભાં રહે પરંતુ કપાએ ભાગ સારે દેખાય છે એમ તે તેઓ પણ નજ કહે જોતાંજ હેબકાઇ જશે! તમે ચાંદી સોનાને ઘસશો તે અંદરને ચકથકો ભાગ બહાર નીકળશે. સોનાને ઘસી નાખશો તે તેને ચળકાટ એ જણાશે કે તમારી આંખોને પણ આંજી નાખશે પરંતુ શરીરના સંબંધમાં તમે જોશે તે એથી ઉટેજ પ્રકાર પ્રષ્ટિએ આવશે શરીરની મહત્તા તો એક પથરાથીએ ઓછી છે. આરસને પત્થર બહારથી કદ કે ઝાંખે જણાય છે પરંતુ જ્યાં તમે એને લઈને ઘસો છે કે એને ચળકાટ એવે દેખાય છે કે જેનારાની આંખેને આંજી દે છે ત્યારે આ શરીર ઉપરથી સારૂં દેખાય છે પરંતુ જે ઉપરની ચામડી ઉતારી નાખે અને અંદરના લાલ ગળાજ કાઢીને બહાર મૂકો તે તમે પતેજ જોતાંજ હેબકાઈ જશે. આ ઉપરથી જણાશે કે દેહ એટલે દગાબાજ મોતીજ છે! મેતીની ઉપરની ફોતરી ચળકતી પણ અંદર જુઓ તે ગોટાળાપંચક! આ તેવુંજ શરીર ઉપર જુઓ તે મહી પડે, પણ જરાક ચામડી ઉતરી કે ભાગવા માંડશો!! મોતીની મા રેતી! કહેવત છે કે મેતીની મા રેતી એમાં જરાય અપવાદ નથી એ જરાય ખોટું નથી. મતીને દશ લાખ રૂપીઆને કંકો હોય પરંતુ જે કદાચ હથી તે જાળમાં તે કંઠે પડી ગયે તે તમારી જિંદગી જ ખલાસ, તેવુંજ દેહમાં પણ સમજી લેજે. જેણે દેહ સાથે જ સ્વાર્થ રાખે છે તેને તે આજે નહિ તે કાલે પણ જરૂર રાવાનો જ સમો આવવાને ને આવવાનજ! અરે, શરીરને મોતી કરતાં પણ હલકું કહે તેએ વાંધો નથી. મોતીનું તે પડ ઉખડી જાય ત્યારે જ તેની મા-તેને માલિક રોવા બેસે, પરંતુ શરીરની તે વાતજ ન્યારી છે. શરીર હોય છતાં શબ થયું એટલે ખલાસ સંસારીની દષ્ટિએ ત્યારથી આત્મા સાથેનો સંબંધ પણ તેઓ પુરા થએલો ગણે છે અને રહેવા માંડે છે. નેહીઓના શરીરને અંગે રેવા કુટવાનું તે એકવારને માટે સંબંધીએ પિતાના નસીબમાં જ લખાવી લાવ્યા છે. ગમે તેવા પ્રયત્નો કરે, સંબંધીના શરીરને ગમે એટલું જાળવે તે છતાં એકવાર રવા કુટવાનું તે ભાગ્યે તેમને માટે નિર્માણ કરી જ રાખેલું છે. તે ફરે એમ નથી. જે જ તે જાય ! જે જન્મે છે તે મરવાને છે એ વાત જેટલી સ્પષ્ટ છે તેટલી જ એ વાત પણ ચોકખીજ છે કે દેહને અંગે સગાંસંબંધીઓને એકવાર રાવનું પણ છે. આત્મા અને શરીર બંને એકવાર ઘર છેડીને તે અવશ્ય જવાના જ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376