Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 351
________________ આનંદ-સુધાસિંધુ, (૩૨૩) સુષાબિંદુ ૧લું. હેય કે ન હોય પરંતુ કોર્ટની ડીક્રી તમને છોડવાની નથી. કેટની ફી અને બેલીના પિસા. તમારા કબજામાં રહેલી સ્ત્રી, છોકરાં, પૈસા, વાડી, ગાડી, શરીર એ બધું પારકું છે માટે તે છોડી દે એની ડીકી તે કોણે કરી જ આપેલી છે. હવે એ ડીજી પ્રમાણે તમે હપતે ન ભરી જાઓ અર્થાત તમે દબાવી રાખેલી પારકી ચીજ ન છેડી દે તે બેલીફ તમારે ત્યાં બજાવણ માટે આવવાને તૈયારજ છે, પરંતુ તમે જાતે હપતે ભરે અને બેલીફ આવીને હપતે વસુલ કરે એ બેમાં ઘણું તફાવત છે, જે તમે જાતે જ તમારો હપતે ભરી જશે તે તમારે કોર્ટના બેલીફની ફી નહિ ભરવી પડે, પરંતુ જો તમે જાતે જઈને તમારે હપતે ન ભરો તે તમારે ડીકીના પૈસા તે આપવા જ પડશે, પરંતુ તે ઉપરાંત વધારામાં તમારે કોર્ટની ફી અને બેલીફને ખરચે પણ આપવોજ પડશે. સંસાર શરૂ કર્યો ત્યારથી જ છોડવાનું એટલે સંસાર ત્યાગવાનું હુકમનામું તે થએલું જ છે. દીક્ષા લઈને એ ત્યાગરૂપ હપતે ન વસુલ આપે તે મતરૂપ બેલીફ તૈયારજ છે તેને હુકમનામાની નકલ મળી કે તરત જ તે તમારું ઘર શોધતે તમારે બારણે આબેજ છે. હું ન ભરે તે બેલીફ છે જ. આ રીતે બેલીફને લાવવામાં બે ગેરલાભ છે. એક તો હુકમ નામાની રકમ ભરવારૂપી ઘરબાર છોડવાં તો પડે જ છે પરંતુ તે ઉપરાંત બેલીફના ખચરૂપ કર્મને ભાર વધારે ચઢે છે ! હવે કણ એ ડાહ્યોમાણસ છે કે જે ડીકી થએલી છે એ વાત જાણી લીધા પછી પણ પૈસા ચુકવી ન દેતાં બેલીફને ખરચે ભરવાનું જ પસંદ કરશે. જગતને આપણે અનિત્ય જણાવીએ છીએ તે પણ એટલાજ કારણથી કે તેના ઉપરથી મમતા ઓછી થાય ! નાસ્તિક અને આપણી વચ્ચે પણ ત્યાગની બાબતમાં મતભેદ નથી. પુણ્યપાપ, નરક, દેવક, મેક્ષ, આ ભવ અને પર ભવ એ સઘળાના સંબંધમાં આપણી અને નાસ્તિકોની વચ્ચે મતભેદ રહે છે પરંતુ જગત ત્યાગવું જ પડે છે, એ સંબંધમાં તેની કે તમારી વચ્ચે કાંઈ પણ મતભેદ નથી જ, તે પણ કહે છે કે સંસાર ત્યાગ પડશે અને તમે પણ કહે છે કે સંસાર ત્યાગ જ પડશે. શરીર અને સંસારને સંબંધ બાર મહિના અને ત્રીસે દહાડા ચાલુજ રહેવાનું છે એવું તે આ જગતમાં કોઈ પણ કહેતું જ નથી. એક નવી દલીલ! આ સંસાર અસાર છે, સાર વિનાને છે, તે રાજી શીથી ન છેડી એ તે બળાત્કારે પણ છોડ પડશે એ તે જેમ આપણે કબુલ રાખીએ છીએ, તે જ પ્રમાણે નાસ્તિકો પણ કબૂલ રાખે જ છે, પરંતુ તેઓ આ સંબંધમાં એવી દલીલ કરે છે કે માણસને મૃત્યુ આવેજ છે અને તે મરણ તે પામે છે. વળી મરણ પામીને તેની સ્મશાનમાં પથારી પણ નંખાય છે પરંતુ તેથી શું “મારી મરણ પછી તે સ્મશાનમાં પથારી નંખાવાની તે છેજ ને ?” તે પછી ચાલને આજથી જઈ પડું સમશાનમાં, એમ ધારીને જીવતી જિંદગીમાં જ તેણે સ્મશાનમાં પથારી નાંખવા જવું જોઈએ? ના, એજ રીતે મરણ પછી તે ઘરબાર, માલમીકત સઘળું છોડવાનું તે છેજને? માટે તે હમણાજ છેડી દેવું જોઈએ એમ વિચાર કરીને દીક્ષા લેવી એ પણ નકામુંજ છે. અર્થાત કુદરતી રીતે જ્યારે માત આવે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376