________________
પછી
બાછ
જવા નીકળીએ. હું મારી ગાડી લઈ લઈશ. સવારે નીકળીશું, રાતે આવી જઈશું.’ ‘ભલે....શંખેશ્વર જવા માટે તો હું હરહંમેશ તૈયાર છું..' પ્રભુદાસભાઈ
બોલ્યા.
અને બીજે દિવસે નિરંજનભાઈ અને પ્રભુદાસભાઈ ડ્રાઈવરને લઈને ગાડીમાં બેસીને શંખેશ્વર જવા સવારે સાત વાગે નીકળી ગયા.
શંખેશ્વર પહોંચ્યા પછી બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવાપૂજા કરી તેમાંય ખાસ શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા, ચૈત્યવંદન કર્યુઃ પૂજન કરતાં નિરંજનભાઈની આંખો માંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલમાં સેવાપૂજા કર્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની સેવાપૂજા કરી. બપોરે ભોજન કરીને આરામ કર્યો અને સાંજે પાંચ વાગે ત્યાંથી નીકળી ગયા અને સુરેન્દ્રનગર પાછા ફર્યાં.
નિરંજનભાઈને શ્રી સેસલીજી પાર્શ્વનાથ દાદા પ્રતિ અનન્ય ભક્તિ થઈ ગઈ. તેઓ પણ પ્રભુદાસભાઈની સાથે દર પુનમે શંખેશ્વર જવા લાગ્યા. મંત્ર આરાધના
(૧)
(૨)
(૩)
ૐૐ હ્રીં શ્રીં સેસલી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ સેસલી પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સેસલી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની માળા નિત્ય વહેલી સવારે ઉઠીને, સ્નાનકાર્ય પતાવીને શુધ્ધ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપનો સમય અને સ્થાન એકજ રાખવું. જાપ દરમ્યાન ધૂપ અને દીવો ચાલુ રાખવો. આ મંત્રની આરાધનાથી મુંઝવતા પ્રશ્નો હલ થાય છે. મુશ્કેલીનો અંત આવે છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ
શ્રી સેસલી પાર્શ્વનાજી
મુ.પો. સેસલી, તા. બાલી, જી. પાલી ફોન : (૦૨૯૩૮) ૨૨૨૦૬૯
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૫