________________
૧૦૦
હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા.
પોતે આચાર્ય હોવા છતાં પોતાના અનંતોપકારી સંસારી પૂજ્ય પિતાશ્રી–ગુરુ ભગવંતશ્રીની ખૂબ જ ઉત્સાહ- ઉલ્લાસપૂર્વક સમતાભાવે અને પ્રસન્નચિત્તે અપ્રમત્તભાવે, વિનયવિવેક, નમ્રતાપૂર્વક જે અપ્રતિમ સેવા-ભક્તિ–વૈયાવચ્ચ - કરવા દ્વારા પૂ. ગુરુ ભગવંતશ્રીનો સૌથી વધારે પ્રિય મનોભિષ્ટ એવો કર્મનિમૂલક મુક્તિપ્રદાતા એવો મહામૂલો સ્વાધ્યાય કરાવવા દ્વારા અપૂર્વ શાતા સમાધિ આપવા દ્વારા, ગુરુને પ્રમુદિત કરી રહ્યા.
આવા કલિકાલમાં પણ આવા શાંત વિનયવંત સેવાભાવી ઉત્કૃષ્ટ ભક્તિ કરનારા સુપુત્ર રત્ન જોવા કે મળવા મુશ્કેલ છે.
ગુરુકૃપાથી તેઓશ્રીના શ્રીમુખેથી લીધેલ કોઈ પણ તપના પચ્ચકખાણ દ્વારા તે તે પ્રાય નિર્વિદને પરિપૂર્ણ થાય છે તેવો ઘણાને અનુભવ છે. તેમના શ્રીમુખેથી અજિતશાંતિ અને સંતિકર સૂત્રો સાંભળવાં જેવાં છે. પોતાના ગુરુ ભગવંતની નિષ્કામ સેવાભક્તિના પ્રતાપે તેઓશ્રીને પણ સેવાભાવી શિષ્ય મુનિશ્રી કીર્તિધ્વજ વિજયજી મ. સુંદર આરાધના કરી રહ્યા છે.
પૂજ્યશ્રીના પ્રવચનો લખવા અને એ આત્મસાત કરવારૂપ સ્વાધ્યાયની તેના ઉપરથી પ્રવચનની તૈયારી કરવા
કરવા સતત પ્રેરણા આપનાર પૂ. પંન્યાસ શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય (માસ્તર મ. સાહેબ)નો ઉપકાર ભૂલ્યા વગર છેલ્લા ઘણા વર્ષોથી સુંદર પ્રવચનો દ્વારા અનેકના હૃદયમાં પૂજ્યશ્રીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અલ્પ ચોમાસામાં પણ તેઓશ્રી અનેકોના અનેકવાર રાહદાર બન્યા છે. સં. ૨૦૪૫ના વૈશાખ વદ-૬ને દિવસે મુમુક્ષુ લાલચંદકુમાર પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી કીર્તિધ્વજવિજયજી નામ ધારણ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે એવા એ પરમ શાસનપ્રભાવક આચાર્યદેવેશને શતશઃ વંદના. સંકલનકાર : મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી મ. સૌજન્ય : કોકીલાબહેન વિનુભાઈ શાહ, ૫૩ સાગરકુંજ
નેપયન્સી રોડ, મુંબઈના સૌજન્યથી ૫. પૂ. આચાર્યશ્રી કીર્તિસેનસૂરિજી મહારાજ સાહેબ
પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરીશ્વરજી મહારાજે ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુ
વિશ્વ અજાયબી : ભગવંતોની પુનીત નિશ્રામાં મહારાષ્ટ્રના વણી ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાનધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપા ધર્મશાળા-પાલિતાણામાં ભગવતીસૂત્રના જોગ કરાવ્યા અને હસ્તગિરિ તીર્થે સં. ૨૦૪૧-ના ફાગણ સુદ ૩–ના દિવસે 300 ઉપરાંત પૂ. સાધુસાધ્વીજી મહારાજો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહોત્સવપૂર્વક ગણિ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ વિ.સં. ૨૦૫૦ મહા સુદ-૮ને શનિવારે શ્રી શત્રુંજય મહાતીર્થે રત્નત્રયીધામમાં આચાર્યપદથી વિભૂષિત કર્યા. હાલ ૫૪ વર્ષનો દીક્ષાપર્યાય. આજે ૭૯ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરીકરાવી રહ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષોથી ગુર્વાજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડીસાથી નીકળતા “રખેવાળ' દૈનિક પત્રમાં તેમની “આધ્યાત્મિક ચિંતન' નામની કોલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે, જેના આધારે ૮ મોટાં પુસ્તકો તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ' મારફત પૂજ્યશ્રીનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે.
પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી સાધ્વી શ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વી શ્રી ચંદ્રદર્શનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દિક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી ધર્મપત્ની જડાવબહેન માતુશ્રીના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org