________________
૫૩૦
આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જાણ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ.આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાનાં બે સંતાનશિષ્યો તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વ અને યોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ, તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના પાલિતાણામાં ગણિપદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ–ભૂલેશ્વરલાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. આચાર્ય બન્યા બાદ તેઓશ્રીના વરદ હસ્તે ચંચર-કોલ્હાપુર-કરાડ-પૂના ફાતિમા નગર-ઇચલકરજી-અમદાવાદ ગોતા-બિજાપુર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય-વિજાપુર શ્રી મહાવીર સોસાયટી જિનાલય, ટોલીગંજ કલકત્તા-ભવાનીપુર કલકત્તા-ભોમિયાભવન શિખરજી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મા-અષ્ટાપદ મંદિર, જૈન શ્વે. સોસાયટી શિખરજી-કુમારડીહ નૂતન મંદિર-ચંપાપુરી તીર્થ આદિ સ્થળોએ અંજનશલાકા સાથે પ્રતિષ્ઠા થયેલ. તેમજ નાસિક સુવિધિનાથ જિનાલય, ટાંકેદ સર્વોદય તીર્થ, મંદારદરા તીર્થ, ભાલુસણા, નરોલી મુનિસુવ્રત સ્વામી જિનાલય, પાવાપુરી નયામંદિર, પારસનાથ ઇસરી, કન્નાસગર. ચંપાપુરી તીર્થ, ભાગલપુર, લછવાડ-ક્ષત્રિયકુંડ તીર્થ-કાકંદી તીર્થ શ્રી રાજગૃહી તીર્થ આદિ કલ્યાણક ભૂમિઓમાં પ્રતિષ્ઠા થયેલ. આ સિવાય છ'રીપાલક સંઘો, ઉપધાન, ઉજમણા તથા અનેક દીક્ષાઓ થયેલ છે.
કલ્યાણકભૂમિઓના જિર્ણોદ્ધારને આંખ સામે રાખી પૂજ્યશ્રીએ બે ચાતુર્માસ કલકત્તા ભવાનીપુર, એક ચાતુર્માસ શ્રી સમ્મેતશિખરજી તીર્થ, એક ચાતુર્માસ શ્રી રાજગૃહી તીર્થ તથા એક ચાતુર્માસ શ્રી પવાપુરી સમવસરણ તીર્થ કરી પાંચ
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
કલ્યાણકભૂમિઓનો જિર્ણોદ્ધાર કરાવેલ. જે ઉપકારની પાવન સ્મૃતિમાં પૂર્વભારતના છત્રીસ સંઘોએ ભેગા થઈ વિ.સં. ૨૦૩૪ શ્રાવણ વદ-૮ રવિવારના રોજ પાવાપુરી સમવસરણ તીર્થમાં ત્રિદિવસીય મહોત્સવપૂર્વક સુવર્ણાક્ષરી પ્રશસ્તિ પત્ર અર્પણ કરવાપૂર્વક પૂજ્યશ્રીને ‘પૂર્વભારત કલ્યાણક ભૂમિ તીર્થોદ્ધારક' પદવી એનાયત કરી હતી.
પૂર્વભારત કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારક સમર્થ શાસનપ્રભાવક સૂરિવરના ચરણે વંદના.
સૌજન્ય : શ્રી મહેન્દ્રભાઈ જમનાદાસ દોશી, કલકત્તા
૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી ગણિવર્ય સ. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ (બાબુભાઈ)એ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી મ. પાસે અભ્યાસ માટે મૂક્યો. સ્વાધ્યાયરત અને ત્યાગવૈરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળ્યો. સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના મનોરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દીક્ષા અપાવવા વિનંતી કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાનો પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરખ હતી.
ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યો. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપ્યો. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કોની પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.’ પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત્ બનતાં અનિચ્છનીય તત્ત્વો ઉઘાડાં કર્યાં. નગીને બધું સ્થિતપ્રજ્ઞની જેમ સાંભળી લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?'' ત્યારે નગીનભાઈએ મૌન
For Private & Personal Use Only
www.jainelibrary.org