________________
૬૧૮
વિશ્વ અજાયબી :
સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. પૂજયશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં | ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યોગક્ષેમ માટે તેઓશ્રી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. એવા શાસનપ્રભાવક તેજસ્વી રનને કોટિશઃ વંદના!
ભદ્રપરિણામી પરમ પૂજ્ય આચાર્યશ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ
સંત અને શૂરવીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્રની પાવન ધરતી. આ જ ધરતી પર પ્રાચીન તીર્થો અલંકારરૂપે શોભે છે. તેમાં પણ ૧૪ રાજલોકમાં સર્વોત્તમ અને જેની રજેરજ સિદ્ધ પરમાત્માઓથી પાવન થયેલી છે, એવો સિદ્ધાચલ-શત્રુંજય ગિરિરાજ શિરતાજ બનીને વિભૂષિત થયેલો છે એવી આ ધરતી. અહીં પ્રાચીન મધુપુરી તરીકે જાણીતું આજે મહુવા તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું કાશ્મીર આવેલું છે. મહુવા બંદર શ્રી જીવિતસ્વામીનું જિનાલય અનેક ભાગ્યવાન પુરુષના નામથી અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી.
વિ.સં. ૧૯૯૬, ભાદરવા વદ-૮ના પાવન દિવસે શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને કાન્તિ નામ અપાયું. પ્રામાણિકતા અને ધર્મમય આચારશૈલીવાળા આ માતા-પિતાને મુંબઈની દોડધામ અશાંત લાગી. તેથી ધર્મના સંસ્કાર ટકાવી રાખવા તેમણે મહુવા સ્થાયી થવાનું નક્કી
કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને સ્વયંસેવકમંડળમાં જોડાયા. આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતાં, આ ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર ‘ગાભાર્થે પૃથિવીચ’નો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ભાવનાઓ સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં ભાઈઓ-બહેન સંસારી-રમણિકભાઈ, જયાબહેન, બાવચંદભાઈએ રસ લઈને માતાપિતાની રજા માંગી.
આમ વિક્રમ સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે તેમના ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. | દર્શન-જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતનાં આશીર્વચન અને પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની પ્રભાવના કરતા રહ્યા. સમર્થ વ્યાખ્યાનકાર અને સાહિત્યકાર,
પરમ શાસનપ્રભાવક પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.
પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું
કર્યું.
| મહુવામાં આવીને માતા-પિતાએ કાન્તીના જીવનને જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org