________________
જૈન શ્રમણ
સ્થળોએ શાનદાર−યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા છે અને શ્રીસંઘોમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્યો પૂ.આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પંન્યાસ શ્રી ભવ્યભૂષણવિજયજી આદિ ૧૬ શિષ્ય-પ્રશિષ્યો જૈનશાસનની આરાધના–૨ક્ષા કરવા સાથે અનેરી ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે, જ્યારે પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પોતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપધર્મની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પોતાના વિશાળ સંસારી કુટુંબને સંયમધર્મની અનુમોદનાનું ભારોભાર આલંબન આપી ગયા છે.
પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજજી મહારાજની યોગ્યતા જાણી પૂ.આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિ પદે અને મુંબઈ–લાલબાગભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પોતાના સંસારી પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસ પદે બિરાજમાન કર્યા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદહસ્તે આચાર્ય પદે અભિષિક્ત કર્યા. ૮૮ વર્ષનો વયપર્યાય, ૫૪ વર્ષનો સંયમપર્યાય અને ૧૭ વર્ષનો સૂરિપદ પર્યાય ધરાવતા પૂજ્યશ્રી આજે પણ યુવાનને શરમાવે તેવી સાધનાના સ્વામી છે. સર્વગ્રાહ્ય વ્યક્તિત્વના સ્વામી છે. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિપદને શોભાવે અને સહુનું યોગક્ષેમ કરે! પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના.
સૌજન્ય : નયનાબેન મુકેશકુમાર મિલાપચંદજી બોકડીયા પરિવાર, પોતાના ઉપર થયેલા ગુરુ ઉપકારની સ્મૃતિ નિમિત્તે મંડારનિવાસી હાલ-પૂના તેમજ વિમલયાત્રા છ'રિપાલક સંઘ નિમિત્તે
સિદ્ધાંતપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.સા
જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા ને પ્રભાવકતાના ધારક, કર્મસાહિત્યનિપુણ, અનુપમેય સંયમધારક પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં વિતાવનારા બાળદીક્ષિત
બાળપણ શ્રી
પૂ.
Jain Education Intemational
આ.
૨૩૯
વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જૈનજગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભદિને વણી (નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને મુનિ પુણ્યપાલવિજયજી' તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા–મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિક્રમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તો સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ર વગેરેનો સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યાં છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં તત્ત્વો, વિવિધ અને રસપોષક દૃષ્ટાંતોનો તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાનો સમન્વય છે. જ્યારે કોઈ સ્તવન કે સજ્ઝાય પૂજ્યશ્રીના મધુર કંઠે સાંભળવા મળે ત્યારે વહેતાં ઝરણાંના મનોરમ સંગીતનો અનુભવ થાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની છોળો ઊછળે છે, ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ જેવી જ પૂજ્યશ્રીની સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ ‘દિવ્યદીપ'ના ઉપનામે રચેલાં અંજનશલાકા-ગીતો લોકકંઠે ગુંજી રહ્યાં છે, તો જિનભક્તિ-ગુરુભક્તિનાં તેમ જ અન્ય પ્રાસંગિક ગીતો અને કુલકો પણ ઠેર ઠેર ગવાય છે. પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તો જાણે વારસામાં મળી છે! કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર ચાંદ લગાડી દે એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય અને અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુંદર ઘડતરમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમહાબલ-સૂરીશ્વરજી મહારાજનો ફાળો છે. સાડા ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજ્યોએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાનો વારસો વગેરે જે જે ઉપકારોની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રીના પ્રવચનાદિમાં યાદ કર્યા વગર
For Private & Personal Use Only
www.jainelibrary.org