________________
જૈન શ્રમણ
નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી આજે પણ કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠનવાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી.
વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી, કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સચોટ અને સરળ રીતે રજૂ કરવાની, કથાપ્રસંગ પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ હતી. તેથી જ તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લહાવો ગણાય છે. ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી ‘વ્યાખ્યાનવાચસ્પતિ' તરીકે જબ્બર લોકચાહના મેળવી શક્યા હતા.
શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રી માં અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૪માં પૂનામાં ગિણ પદ, ઘાટકોપર-મુંબઈમાં પૂ. પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી જુદાં જુદાં ગામ-શહેરોમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન હોય ત્યાં ચોથો આરો વર્તે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ! સં. ૨૦૨૪ના પોષ વદ ૬ ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોઘ શક્તિને જાણીને, સૂરિપદ માટેની પ્રૌઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા.
સંયમીનાં પગલેપગલે : તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીના સંસારી–સંબંધીઓમાં સંયમ સ્વીકારવાનો સ્રોત શરૂ થયો. તેઓશ્રીનાં પગલેપગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી
Jain Education International
૪૬૯
અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, (સં. ૨૦૦૭માં) સંસારી પિતા શ્રી ચિમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, (સં. ૨૦૧૪માં,) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ આ.શ્રી સોમચંદ્રસૂરિજી, (સં. ૨૦૨૫માં) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રીજી તરીકે ચારિત્ર્યધારી બન્યાં.
પૂ. આચાર્યશ્રીહસ્તે મહત્ત્વનાં શાસનકાર્યો : પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનોએ અંજનશલાકા--પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે, જેમાં મુંબઈ-માટુંગા, મુલુન્ડ, ચોપાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા; અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા કોમ્પ્લેક્સ (સેટેલાઇટ રોડ); સુરત–શાહપુર, રાંદેર રોડ, સૂરજમંડન પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્યસ્વામી શતાબ્દીમહોત્સવ, અમરેલી, પાલિતાણા-જિનહરિવિહાર, આરીસાભવન, ધર્મશાંતિ આરાધનાભવન, ૧૦૮ સમોવસરણ મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ ૫૪ અંજનશલાકા અને ૨૦૦ ઉપરાંત નાની મોટી પ્રતિષ્ઠાઓ કરાવેલ છે.
સમાધિપૂર્ણ કાળધર્મ :-કેટલાંક લોકો હોય છે કે જેઓ જીવનને સદ્ધરતાથી પૂરું કરે છે આ પૂજ્ય આચાર્યશ્રીએ પણ શાસનમાં અનેક કાર્યોને સંપન્ન કરી સં. ૨૦૬૨ની શ્રા. સુ. ૧૪ સાંજે ૭-૨૭ મિનિટે મુંબઈ-ખેતવાડી મુકામે અર્થસંપન્ન બિલ્ડીંગમાં અંતિમ શ્વાસ મૂક્યો. શાસનને ખરેખર ચંદ્ર જેવા સૌમ્ય અમે મહામના સૂરિવરની દુઃસહ્ય ખોટ પડી.
એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશઃ વંદન! સર્વત્ર જિનશાસનની યશ
જ્યોત જલાવનાર
૫. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી
મહારાજ
જન્મ : ૯-૧૦-૧૯૨૫
દીક્ષા : ૪-૫-૧૯૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org