________________
૨૭
પૂ૦ સ્વ. ગુરૂણી શ્રીહરિશ્રીજી મહારાજ
અમારાં નિકટનાં ઉપકારી સ્વ. ગુરૂણું શ્રીહીરશ્રીજી છે, તેના ઉપકારનું ઋણ અનેક ભવેની સેવાથી પણ ચૂકવી શકાય તેમ નથી, છતાં તેઓના જીવનની સ્મૃતિ માટે કંઈક માત્ર લખી આત્મ સંતોષ અનુભવવા અમારો આ પ્રયાસ છે.
ઉપર તેઓનાં દાદી ગુરૂણી શ્રીચન્દનાશ્રીજી મહારાજ અને ગુરૂણી શ્રીઅશકશ્રીજી મહારાજ હતાં એમ જણાવ્યું.
તેઓને જન્મ વિ. સં. ૧૯૨૭ ના કારતક વદ ૧ના રેજ છાયાપુરી (છાણી) ગામમાં થયે હતે. છાણું ગામ નાનું છે, શહેરના જેવી ત્યાં જીવનસામગ્રી નથી, વડોદરાની દક્ષિણ દિશામાં ચારેક માઈલ દૂર એ ગામમાં શ્રાવકેનાં આશરે ૮૦ ઘરે છે, છતાં ત્યાંની ધર્મ સામગ્રી અને ધર્મની આરાધના એક શહેરથી પણ પ્રમાણમાં વધી જાય તેવી આકર્ષક અને પવિત્ર છે, ત્યાં સેળમા તીર્થકર અને પાંચમા ચક્રવતી શ્રીશાન્તિનાથ ભગવાનના આકર્ષક આશરે ૪૫ ઇંચના મૂળનાયકના બિલ્બથી વિભૂષિત શ્રીજિનમન્દિર એક તીર્થની ગરજ સારે તેવું છે. બાજુમાં જ ભવ્ય ઉપાશ્રય, સામે સુશોભિત અને જૈનાગના સંગ્રહથી ભરપૂર જૈન જ્ઞાનમન્દિર છે. વીસમી સદીના શાસનના નાયક સમા કેટલાય આચાર્યાદિ મુનિવરેનાં અને અનેક સાધ્વી ગણનાં ત્યાં ચાતુર્માસ થયેલાં છે. એટલું જ નહિ, એવા ઉત્તમ દેવગુરૂના વેગને સફળ