________________
દીવાળીને દીવો પ્રગટ . અને બંને દંપતી સરલ હોવાથી તેમને જીવન-રથ પણ સરલ રીતે અવિરત ચાલ. - શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયની બાજુમાં-ઉત્તર-દિશાએ તેઓનું ઘર હતું. ત્યાં તેઓ રહેતા હતા. શ્રી જિનાલયના પવિત્ર ઘંટાનાદ તેઓને હંમેશાં કર્ણાચર થતાં ને તેથી તેઓ પિતાના જીવનને ધન્ય સમજતા. એમના ઘરની આજુબાજુ આશરે સો સો ફુટમાં જ બીજાં પણ-શ્રી રણછોડરાયજી, શ્રી મહાલક્ષ્મીજી, ને શ્રી સામુદ્રી માતા વિગેરે જૈનેતર મંદિરે હતા.
તેમનો ધંધે ભાવનગરી પાઘડી બાંધવાને-બનાવવાનો હતો. આ વાત સાંભળી કેઈને એમ થાય કે-આવા ઉત્તમ ગૃહસ્થ ને પાઘડી બાંધવાને ધંધો? પણ ના ! એવું વિચારવાની જરૂર નથી. કારણકે-એ પણ એક ઉત્તમ કલા છે. અને કલા એ કોઈ અમુક વ્યક્તિને ઇજા નથી. શ્રી લક્ષ્મીચંદભાઈએ તે ખાસ કરીને આરંભ-સમારંભ વિના આજીવિકાનું ઉત્તમ સાધન જાને જ આ ધંધો સ્વીકાર્યો હતો. કારણકે તેઓ ખૂબ ધર્મનિષ્ઠ અને પાપભીરૂ હતા. આ દષ્ટિએ તેમને ધંધો પ્રશંસનીય જ હતા. વિધવિધ ભાતની પાઘડીઓ તેઓ બાંધતા. જોતાં જ આંખને આકર્ષે એવી કલાત્મક પાઘડીઓ બાંધવા માટે તેઓ પ્રખ્યાત હતા. દુકાન પણ ઘરની નજીકમાં જ હતી, ને ધંધે પણ સારી રીતે ચાલતે.
આમ તેઓ દરેક પ્રકારે સુખી હતા.
[૩]
દીવાળીને દીવો પ્રગટ
વિકમની ૨૦ મી શતાબ્દીની બીજી પચ્ચીશીના પ્રારંભકાળની આ વાત છે.
ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રની અસાધારણ પ્રગતિને-ઉન્નતિન એ મને રમ ઉષઃ કાળ હતે.
સમગ્ર સંવેગી શ્રી શ્રમણ સંઘ ઉપર તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજનું એક છત્રી અનુશાસન પ્રવતી રહ્યું હતું.
શ્રીપૂ–પતિઓનું પ્રાબલ્ય-શ્રી શ્રમણ સંઘ ઉપરનું તેમનું પ્રભુત્વને વર્ચસ્વ-ઝપાટાબંધ ઓસરી રહ્યું હતું. કહે કે-પૂ. શ્રી મૂળચંદજી મહારાજ જેવા સમર્થ પ્રભાવશાલી મહાપુરુષ શ્રીપૂજના એ પ્રભુત્વની ભરતીને ભયાનક ધકકો મારીને એમાં પરિણમાવી રહ્યા હતા.
બીજી તરફ-પંજાબમાં પ. પૂ. શ્રી બુટેરાયજી મહારાજ અને પ. પૂ. શ્રી મૂળચંદજી મહારાજ આદિએ સ્વીકારેલા સંગીપણાના સફળ પડઘારૂપે મૂર્તિપૂજાના વિરોધીઓનું-સ્થાનકમાગી. એનું આજ સુધી પ્રવતી રહેલું સામ્રાજ્ય હવે અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. સં. ૧૯૧૮માં પૂ. શ્રી બુટેરાયજી મ. આદિ મુનિવરો પુનઃ પંજાબમાં પધાર્યા હતા, એને પુનરુદ્ધાર કરવા. તેમના શુદ્ધ સાધુત્વ અને યથાર્થ ઉપદેશથી તેઓશ્રીએ સ્વીકારેલ સંવેગી સાધુપણું ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org