________________
૩૨.
શાસનસમ્રાદ્ આ તિથિચર્ચાને અંત આવે, અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપણે જ મળે, કે આપને જશ આપવો, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.”
આ સોટસત્ય વાત સાંભળીને શ્રી નગીનભાઈ-અવાક થઈ ગયાં. પણ છેવટે બન્યું : પણ એવું જ. શ્રીનંદનસૂરિજી મહારાજે કહ્યા પ્રમાણે–પૂજ્યશ્રી લબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાનો મિડે લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય એજ્ય સ્થાપવાનું જે મહાકાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના ખભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું. પરિણામે શ્રીલબ્ધિસૂરિ મહારાજની પવિત્ર હાદિક ભાવના હોવા છતાં કાંઈ ન બની શક્યું.
શા. જીવતલાલ પ્રતાપશી, શા. નગીનદાસ કરમચંદ વગેરે શ્રાવકોએ પણ એક્ય માટે પ્રયાસ કર્યા, પણ પરિણામમાં શૂન્ય જ સાંપડ્યું.
આખરે શ્રી વિજયલમણસૂરિજી મહારાજે ગુલાબચંદ પિપટલાલ નામના આગેવાન શ્રાવક જોડે પૂજ્યશ્રીને કહેવરાવ્યું કે : “અમે અમારા પ્રયત્નમાં નિષ્ફળ નીવડ્યા છીએ. હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશે.”
પૂજ્યશ્રીને શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓની વિશુદ્ધ ભાવના પણ - પૂજ્યશ્રીએ પારખી હતી, અને તેથી જ કોઈ ખટપટમાં પડવાની અનિચ્છા છતાં આ વાતમાં પ્રયત્ન કરવાનું તેઓશ્રીએ સ્વીકારેલું. પણ શ્રીલબ્ધિસૂરિજી મ.ના આ શુભ પ્રયાસનું આવું નિષ્ફળ પરિણામ પણ તેઓશ્રીની દીર્ઘદ્રષ્ટિમાં પ્રથમથી જ વસી ગયું હતું. ભવિતવ્યતાને અન્યથા કરી શકાય ખરી ?
શેઠ સોમચંદ પિોપટચંદે પિતાના ઘર આંગણે નાનું છતાં રમણીય દેરાસર બંધાવ્યું હતું. તેમાં શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ ના માગશર સુદિ દશમે પૂજ્યશ્રીએ કરાવી. દંતારવાડામાં નાતની વાડીની સામેની પુણ્યશાળીની ખડકીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર થયે હતે. પિોરવાડ-શ્રીસંઘની વિનંતિથી એની પ્રતિષ્ઠા પણ કરાવી.
પોષ માસમાં પૂજ્યશ્રીના વાવૃદ્ધ શિષ્ય મુનિશ્રી સંપતવિજયજી મ. ૧૬ વર્ષ દીક્ષા પર્યાય પાળને કાળધર્મ પામ્યા. તેમને કેટલાક સમયથી સોજાની બિમારી થયેલી. વૃદ્ધ છતાં તેમને ભક્તિય વચ્ચ ગુણ અપૂર્વ હ. નાનાં કે મેટાં દરેકની વિનર્ધપૂર્વક વૈયાવચ્ચ કરવાના સ્વભાવને લીધે તેઓ સવપ્રિય થઈ પડેલાં. અંત સમયે નિમણે અને સમાધિ પણ તેમને સુંદર, મળી તેમની પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રી મહોત્સવ કર્યો. ( શાસનનાં આગેવાન સાધુ તથા શ્રાવકો પણ હવે એક પછી એકે સ્વર્ગવાસી બનવા લાગ્યા હતા. ચાલુ વર્ષે ડભોઈમાં આચાર્ય શ્રી વિજય મેહનસૂરિજી મ. કાળધર્મ પામ્યા. શ્રાવકમાં ભાવનગરના શા. કુંવરજી આણંદજી તથા અમદાવાદના શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે સ્વર્ગવાસી બન્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org