________________
૧૨
-
હર્શલ
પરિશિષ્ટ–૨ પરમ પૂજ્ય શાસનસમ્રા આચાર્ય મહારાજ શ્રીવજયનેમિસૂરીશ્વરજીનું જીવન:
- જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ લેખક–અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ ગણિતાલંકાર, જ્યોતિષદિનમણિ, મુહૂર્ત દિવાકર, જોતિષાલંકાર.
પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્યદેવ - ૧૦ /
શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને જન્મ સૌરાષ્ટ્રમાં મહુવા શહેરમાં વિક્રમ
સંવત્ ૧૯૨૯, શાલિવાહન શકે ૧૭૯૪ ત રે ચંદ્ર ગ્રી
ના કારતક સુદી પ્રતિપદા શનિવાર
તા. ૨ જી નવેંબર ૧૮૭૨ના દિવસે - બુધ
સ્થાનિક સૂર્યોદયથી ઈષ્ટ ઘડી ઘ. ૨૦Xગુરૂ ૫ મંગળ)
૫. ૧૫ સમયે જન્મ થયેલ હતો. તે સમયે હાલમાં ચાલતા ભારત સ્ટા. ટા.નું અસ્તિત્વ નહોતું, એટલે કલાક
-મિનિટમાં ગણતાં જન્મનો સ્થાનિક જન્મ કુંડલી'
સમય બપોરે ક. ૨-મિ. ૧૩, અને તેને હાલમાં ચાલતા સ્ટા. ટા. માં ફેરવતાં તેમનો જન્મ સમય બપોરે ક. ૦૨-મિ. પ૬ હતો. તે મુજબ તેમની કુન્ડલી તથા સ્પષ્ટ ગ્રહ અત્રે આપેલ છે.
જન્મ લગ્ન કુંભ રાશિનું ૧૯ મા અંશનું આવે છે. કુંભ રાશિનું સ્વરૂપ ખભે ઘડે લીધેલા પુરુષનું છે, મનુષ્ય રાશિ છે, સ્થિર સ્વભાવની છે, તે અનુસાર આ રાશિનું લગ્ન સારી મગજશક્તિ–ભાષા, શાસ્ત્ર, અને કળાએન શેખ, મજબૂત મનોબળ, દઢ અભિપ્રાય, સ્થિર, ગંભીર, ખંત અને એકનિશ્ચયપણું આપે છે. તેઓ ખુલ્લા દિલના, દયાળુ, વિશ્વાસુ, આનંદી, સારી યાદદાસ્તવાળા, વિદ્વાન અનેક શાસ્ત્રોના જ્ઞાતા, છટાદાર ભાષણકર્તા, તાવજ્ઞાની, અને સહનશીલ અને ધૈર્યવાન બને. આ લગ્નના અધિપતિ શનિ હોઈ તે ભૌતિક સુખ માટે બહુ અનુકૂળ બનતે હેત નથી; કુંભ લગ્નનો ૧૯મો અંશ ઉદય પામતે હાઈ બહુશ્રુત, વિશાળ વાંચન, તીક્ષણ બુદ્ધિપ્રભા, અને ભગવાન પ્રેરિત જ્ઞાન આપનાર બનતો હાઈ દિવ્યજ્ઞાનમાં સારી સફળતા મેળવે.
લગ્નેશ શનિ હેઈ ગંભીર, વિચારવંત અને સ્વસ્થ સ્વભાવ આપે, જાત પર કાબુ રાખનાર, સમજુ અને સાવધ બને. કાર્યો તથા માણસોની વ્યવસ્થા સારી રીતે કરી શકે. દીર્ધદષ્ટિવાળી જનાઓ ઘડનાર અને તેને અમલમાં મૂકવાને લાંબા સમય ગાળનાર બને. આગ્રહ, જાત પર કાબુ, ડહાપણ, બૈર્ય, જીતેંદ્રિયતા, અને સત્યાસત્યને નિર્ણય કરવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org