________________
પરિશિષ્ટમહુવા પહોંચી ગયેલ. આ મુજબ ભાવનગરથી પણ ટ્રોલી દ્વારા ૩૦ ભાઈઓ, કુંડલાથી ૩૦ ભાઈઓને એક ખટાર, ત્રાપજ, તલાજા અને દાઠાથી વીસ-વીસ ભાઈઓને એક ખટારો, બુંટવડાથી વીસેક ભાઈઓ, જેસર અને ઠળીયાથી કેટલાક ભાઈએ, વઢવાણ અને બેટાદથી ટ્રેન મારફત ૨૦ થી ૨૫ ભાઈએ વગેરે મળી બહારગામથી કુલ ૨૫૦ થી ૩૦૦ માણસ સ્મશાન યાત્રામાં જોડાવાની ભાવનાએ મહુવા દેડેલ, પણ તે દરેક મેડા પડવાના ચગે છેલ્લા લાભથી પણ વંચિત રહેવા બદલ ગમગીન બનેલ. પૂજ્યશ્રીના કાલધર્મથી શેકાતુર બનેલા મહુવાના ખાટકીઓએ પણ સામેથી આવીને તે દિવસે કસાઈખાના બંધ રાખવાની મુરાદ બતાવેલ અને બંધ રાખેલ. - પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા કા. શુ. ૧ ની સવારે ૯-૩૫ મિનિટે નીકળેલ. સ્મશાન યાત્રામાં આખાયે શહેરની હિંદુ-મુસ્લીમ વગેરે બધી જ પ્રજાએ સખત હડતાળ પાળીને હજારોની સંખ્યામાં ભાગ લીધેલ. સુંદરતર પાલખીમાં પધરાવેલ પૂ. આચાર્ય દેવેશ શ્રીના મૃતદેહને નીરખી નીરખીને રસ્તામાં મુસલમાનો પણ રડી પડેલ. પાલખી પાછળ જૈનેએ તે છૂટથી નાણું-લાડુ વગેરે ઉછાળેલ. પરંતુ અન્ય વર્ણોએ પણ કેળાં વગેરે ફુટે ઉછાળેલ. અગાઉથી નિયત કર્યા મુજબ બાલાશ્રમના મકાનની જોડેની જુની મહાજનની જગ્યા એ પાલખી ફરીને બાર વાગે આવેલ. અને ત્રીસ મણ એકઠી થયેલ સુખડથી પૂજ્યશ્રીના પુણ્યદેહને ૧૨ ને ચાલીસે તે જગ્યામાં અગ્નિસંસ્કાર થયેલ. - પૂજ્યશ્રીના પુણ્ય દેહને ખાંધે લેવાને અને અગ્નિસંસ્કાર કરવાને હક શ્રીસંઘે ઉદારતાથી પૂજ્યશ્રીના સંસારી બંધુ વગડા બાલચંદભાઈના સુપુત્રો આદિ કુટુંબીજનોને જ આ હતે. અગ્નિસંસ્કાર થતાં જનતા ચોધાર આંસુએ રડેલ. આ પ્રસંગે જીવદયાની ટીપ પણ સારી થયેલ. કુંડલા સંઘે જ રૂ. ૨૦૦) ભરાવેલ.
પ્રથમ દિવસે આખાયે શહેરમાં અને બીજા દિવસે સમસ્ત જૈનેએ સખત હડતાલ પાડેલ. તલાજા, દાઠા, ઠળીયા પણ હડતાલ રહેલ. પૂ. આચાર્ય દેવેશશ્રીના પુણ્યદેહ પરથી કેાઈને એક કપડું તે નહિ, પણ કપડાનો ટુકડો પણ નહિ લેવા દેવાનો સખત બંદોબસ્ત હેઈને ચેમાં તે પુણ્યદેહને પાલખી સહિત અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. સાંજના સાત બજે તે પુણ્યદેહ સર્વતઃ ખાખ થઈ જવા પામી સમાજની આંખેથી સદાને માટે નષ્ટ થયે. અનેક ગામેએ તે બદલ શેકસભાઓ ભરી અને દીલગીરીના તારો કર્યા.
પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મ. ને આ તારક ગુરૂદેવના હૃદયફાટ વિરહદુઃખથી મુખાકૃતિ પર પ્રસરેલી શકછાયાનું યત્કિંચિત્ પણ સ્વરૂપ કલમમાં ઉતારવા અશક્ત છીએ. તેઓશ્રીની નિશ્રામાં શ્રી ચતુર્વિધ સંઘે કરેલ દેવવંદન વખતે પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજાએ જે ગદગદુ સ્વરે શાંતિ કહેલ તે ઉપરથી એ વિરહ-દુઃખ અકથ્ય હતું, એમ સકળ સંઘને જણાઈ આવતું હતું.
પાલિતાણા ખાતે મોતી કડીયાની મેડીમાં પૂ. મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ, ૫. મુનિ શ્રી અમરવિજયજી મહારાજ, તથા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજ આદિ સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org