________________
પરિશિષ્ટ-૩
કેટલીક ઉપલબ્ધ ચાક્કસ માહિતીઓની નોંધ.
૧. શાસનસમ્રાટ્વી સંસારિપણામાં–મહુવામાં જ (ભાવનગર પૂ. ગુરૂદેવ શ્રીવૃદ્ધિ ચંદ્રજી મ. પાસે ગયા પહેલાં) ત્યાંના ‘શ્રીમાનજી જોષી’ નામે એક વિદ્વાન વિપ્રય પાસે ‘સારસ્વત વ્યાકરણ' ભણ્યાં હતાં. આ વાત તેઓશ્રીને બચપણથી જ સંસ્કૃત ભણુવાની અસાધારણ રુચિ હતી, તે જણાવે છે.
૨. શાસનસમ્રાટ્ઝીના પ્રથમ પટ્ટધર શિષ્ય પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ' હતાં. સં. ૧૯૪૮માં તેમની દીક્ષા થયેલી. ત્યારપછી પૂ. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી મહારાજ વગેરે શિષ્યેા થયાં. શ્રીદેવેન્દ્રવિજયજી મ. અંગેની ખીજી માહિતી ઉપલબ્ધ નથી.
૩. શાસનસમ્રાટ્વી તથા શ્રીઆનંદસાગરજી મહારાજ- મન્ને ખંભાતના ચામાસામાં (સ. ૧૯૫૪) સાથે હતાં. ત્યારે પર્યુષણામાં ‘ગણધરવાદ' અને પૂજ્યેાએ સાથે વાંચેલા. તે આ રીતે = “શ્રીસાગરજી મ. પ્રશ્ન કરે, અને પૂજ્યશ્રી અને જવાબ આપે.” આમ આખા ગણધરવાદ પ્રશ્નોત્તરીરૂપે સભા સમક્ષ વાંચેલા. (આ વાત ખ ંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.)
૪. ડૉ. હન જેકેાખી ખંભાતમાં શાસનસમ્રાટ્વી પાસે આવેલાં. તેઓ જૈન શાસન-સિદ્ધાન્ત-શાસ્ત્ર અને સમાજને લગતાં લગભગ ૧૩૦૦ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી લાવેલાં. એમાંથી પૂજ્યશ્રીએ ૫૦૦ જેટલા પ્રશ્નોના પૂર્ણ સતેાષકારક જવાબ એ દિવસમાં આપ્યાં. પછી ડૉ. જેકેાખીને તેઓશ્રીએ કહ્યું કે-તમે વધુ રોકાણ કરો, તા ખધાં પ્રશ્નોને જવાખ નિરાંતે અપાય. માર્કા આમ બે દિવસમાં ૧૩૦૦ પ્રશ્નોના જવાબ નિરાંતે આપી શકાય નહિ. પણ તાય મહત્ત્વના પ્રશ્નોના જવાખ મળી જવાથી ડૉ. જેકેાખી અતિ આન`દિત બનેલાં. (આ વાત પણ ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.)
પ. સં. ૧૯૬૬માં પૂજ્ય શાસનસમ્રાટ્ચીએ એટાદ ચામાસુ* કર્યું, ત્યારના આ અલૌકિક પ્રસંગ છે.
એ વખતે ગુજરાતના પ્રસિદ્ધ જાદુગર મહમ્મદ છેલ પણ એટાદમાં રહેતાં. તેમણે ગામમાં સર્વોત્ર ફેલાયેલી પૂજ્યશ્રીની ખ્યાતિ સાંભળી એટલે તેએ પૂજ્યશ્રીને મળવા માટે ઉપાશ્રયે આવ્યા.
વિલક્ષણ માણસને સ્વભાવ હાય છે કે- તેઓ સામાંને પેાતાનેા પરિચય સામાન્ય માણસની જેમ નથી આપતાં પણ કાંઈક વિલક્ષણ કા દ્વારા જ આપે છે. અહીં પણુ એવું જ બન્યું.
પૂજ્યશ્રીને પગે લાગીને બેઠાં પછી વિદ્યાના કાઈ પ્રયાગ કરીને મહમ્મદ છેલે પૂજ્યશ્રીને પેાતાનેા પરિચય આપ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org