________________
સનસમ્રાટ
હવે બન્યું એવું કે-પૂજ્યશ્રીની અંતરની ભાવના અને પ્રેરણાથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી ૩ાા લાખ રૂપિયાના ખર્ચે શ્રીશેરીસાતીર્થમાં શિખરબંધી દેરાસર તૈયાર થયું હતું. અને એથી એક મહાન તીર્થને પુનરૂદ્ધાર થયે હતો. આ તીર્થનો વહીવટ શેઠ આ. ક. પેઢીને સેંપાયેલ. સં. ૧૯૮૮માં આ દેરાસરમાં શ્રીશેરીસાપાર્શ્વનાથ આદિ પ્રભુપ્રતિમાઓને પ્રવેશ તે થઈ ગયેલું. તેની પ્રતિષ્ઠા કરવાની હતી, એ માટે પેઢીના વહીવટદારો-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ ભગુભાઈ સુતરિયા, મયાભાઈ સાંકળચંદ, કાંતિભાઈ નાણાવટી, કેશવલાલ લલ્લુભાઈ ભેગીલાલ સુતરિયા, ચંદ્રકાંત સી. ગાંધી વગેરે તથા શેઠ પ્રતાપસિંહ મેહલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. અને પ્રતિષ્ઠાન' મહત ફરમાવવા તથા પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ કરી. આ વખતે શેઠ સારાભાઈ જેશીંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) ના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવવા માટે તેમના બંગલાની નજીકમાં આવેલા શેઠ પિપટલાલ હેમચંદના બંગલે પૂજ્યશ્રી બિરાજતાં હતાં.
વિનંતિના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું કે “વઢવાણ-સંઘની વિનંતિ અમોએ ક્ષેત્રસ્પર્શનાએ માની છે. એટલે હવે તેમાં ફેરફાર ન કરી શકાય. છતાં વઢવાણને સંઘ સંમતિ આપશે અને તેમને સંતેષ થશે તે ક્ષેત્રસ્પર્શનાએ શેરીસાનો વિચાર કરાશે.”
આ વાતની જાણ થતાં જ વઢવાણને સંઘ પૂજ્યશ્રી પાસે આવ્યું. અને કઈ પણ હિસાબે વઢવાણુ પધારવાને આગ્રહ કરવા લાગ્યા. એ વખતે પેઢીના પ્રતિનિધિઓ પણ આવ્યા, અને વઢવાણુવાળાને સમજાવવા લાગ્યા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું સાહેબ ! કેવળ આપની પવિત્ર ભાવનાના પરિણામ સ્વરૂપે જ શેરીસાનો ઉદ્ધાર થયું છે. હવે તેની પ્રતિષ્ઠા પણ આપે જ કરાવવી જોઈએ. તો જ એ તીર્થને પૂર્ણ ઉદ્ધાર થયો ગણાય. માટે આ વર્ષે અમારી વિનંતિ સ્વીકારો. પછી વઢવાણ શહેરની પ્રતિષ્ઠા પણ આપશ્રીએ જ કરવાની છે.
પૂજ્યશ્રીની અંતરછા પણ આ જ હતી. તેઓશ્રીએ વઢવાણવાળાને સમજાવ્યા. છેવટે તેઓ માન્યા, અને સંમતિ આપી.
સંમતિ મળતાં જ પેઢીવાળાની વિનંતિથી પૂજ્યશ્રીએ વૈશાખ માસમાં શેરીસાની પ્રતિષ્ઠાનું મહ ફરમાવ્યું. શેરીસાની સાથે સાથે વામજના દેરાસરની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. વામજમાં વર્ષો પૂર્વે પ્રાચીન પ્રભુજી ભૂમિમાંથી પ્રગટ થયેલાં. તે પ્રભુજી માટે ત્યાં એક દેરાસર બંધાવવાની ભાવના પૂજ્યશ્રીના પરમ ભક્ત શા. કરમચંદ કુલચંદ ( કમાશા ) ની હતી. પણ કાળબળે તે ફળીભૂત ન થઈ.
હવે સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની ઈચ્છા હતી કે આ પ્રભુજીને પણ શેરીસા લઈ આવવા. તે માટે તેમણે પ્રયાસ કર્યો. પરંતુ-વામજ ગામમાં શ્રાવકનું ઘર તે એકેય ન હતું. પણ ત્યાંના ઈતરકોમના પટેલિયા વ. લોકોને આ પ્રભુજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી. તેથી તેઓએ લઈ જવાની ના કહી. સારાભાઈએ ગુપ્ત રીતે પ્રભુજી લઈ લેવાની યેજના કરી, તે તેથી તે પિલા કે ખૂબ વિફર્યા પરિણામ સારાભાઈને ત્યાં જવું પણ ભારે થઈ પડ્યું. એક વાર પૂજ્યશ્રી મારવાડ તરફથી વિહાર કરીને આવતાં હતાં, ત્યારે આ ગામમાં પધાર્યા. એ જાણી પિલાં પટેલિયા સમજ્યાં કે-આ લકે ભગવાનૂ લેવા આવ્યા છે. એટલે તેઓ હાથમાં લાકડી -ડાંગ-ધારિયા લઈ આવ્યાં. પૂજ્યશ્રી તે ગામ બહાર શાન્તભાવે ઊભાં રહ્યાં. પેલાં લોકોએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org